ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના તરફેણમાં ચુકાદો આપતા ધોળકામાં થયેલી વિધાનસભા બેઠકની ચૂંટણીને રદ્દ કરાવી છે જેને પગલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફરીથી ઘમાસાણ મચ્યુ છે અને બંને પક્ષો દ્વારા નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. જાણો કોણે શું કહ્યું?
ગુજરાત હાઈકોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો આપ્યો છે. 2017ની ધોળકા વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત થઈ હતી. જેને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી. જે મામલે ગુજરાત હાઈકોર્ટે 2017ની વિધાનસભા ચૂંટણીને રદ જાહેર કરી છે. જેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વિરુદ્ધ ચુકાદો આવ્યો છે.
ભુપેન્દ્રસિંહ 2017ની ચૂંટણીમાં 327 મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે.
અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે, આ કારણોસર ચૂંટણી રદ્દ થવી જોઈએ તેમજ પોતાને વિજેતા જાહેર કરાવો જોઈએ એવી માંગણી રાઠોડે કરી હતી. હાઈકોર્ટે 429 પોસ્ટલ બેલેટ રદ્દ કરવાનો નિર્ણય ગેરકાયદેસર હોવાનો ચુકાદો આપ્યો છે. પોસ્ટલ બેલેટમાં મળેલા મતમાંથી 429 મત રદ્દ થતાં ચુડાસમાને વિજેતા જાહેર કરાયા હતા.
કોર્ટનો ચુકાદો અમારા માટે આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટમાં અમે કાયદાકિય રીતે અપીલ કરીશું. અમે ભુપેન્દ્રસિંહની સાથે છીએ. ભુપેન્દ્રસિંહને જે રીતે જરૂર પડે અમે સમર્થન કરીશું. હાઈકોર્ટના ચૂકાદાનો અભ્યાસ ચાલી રહ્યો છે. વકીલોની સલાહ પ્રમાણે ભૂપેન્દ્રસિંહ આગળ કામ કરશે. હાઈકોર્ટના ચૂકાદાને અમે SCમાં પડકારીશું. પ્રથમ તબક્કે MLA પદ રદ ગણાય તેવુ વકીલોનું અવલોકન છે.
અમિત ચાવડાએ પણ આપી પ્રતિક્રિયા
અશ્વિનભાઈએ મક્કમતાથી ન્યાયાલય પર વિશ્વાસ રાખીને લડ્યા. સરકાર ખોટી રીતે અર્થઘટન કરી તેમના માણસોને બચાવવા માટે પ્રયાસ ન કરે. કાયદાનું સંપૂર્ણ પણે અમલ થાય તેવી આશા રાખીએ છીએ. હાઈકોર્ટનો ચુકાદો છે તેની અમલદારી કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. હાઈકોર્ટના ચુકાદા બાદ ભુપેન્દ્રસિંહે રાજીનામું આપી દેવું જોઈએ. હાઈકોર્ટે પોતે ચૂંટણી પ્રક્રિયાને ખોટી ગણાવી છે. પ્રજાના મતે તમે ચૂંટાયા નથી, વિજેતા ખોટી રીતે જાહેર કરાયા છે ત્યારે પદ પર ન રહેવું જોઈએ. સરકાર પણ ન્યાયાલયની પ્રક્રિયાને સન્માન આપવું જોઈએ. મુખ્યમંત્રીએ ભુપેન્દ્રસિંહને રાજીનામું આપવા કહેવું જોઈએ. રાજ્યસભાની ચૂંટણી હાલ સ્થગિત કરાઈ છે.
શક્તિસિંહ ગોહિલે સત્યમેવ જયતેની કરી ટ્વીટ
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરીને સત્યનો વિજય થયો હોવાનું જણાવ્યું હતુ.
#Gujarat’s Law Minister declared to be elected unlawfully. Bhupendrasinh Chudasama’s election declared illegal, null and void by Gujarat Highcourt. He had illegally crafted his win. In 2017#GujaratModelExposed
— Shaktisinh Gohil (@shaktisinhgohil) May 12, 2020
કોગ્રેસના નેતા રાજીવ સાતવે પણ કરી ટ્વીટ
કોંગ્રેસના નેતા રાજીવ સાતવે પણ ગુજરાત હાઈકોર્ટના ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ્દ થવા મામલે ટ્વીટ કરી હતી.
#GujaratModel of Elections exposed. Gujarat Law Minister Bhupendra Sinh Chudasama’s election victory in 2017 declared unlawful, null & void by Gujarat High Court in a land mark judgement