ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું નિધન થયું છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું નિધન
94 વર્ષની ઉંમર ધરાવતા હતા કમળા બા
છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
પ્રાપ્ત થતાં અહેવાલ પ્રમાણે રાજ્યના શિક્ષણમંત્રી અને ભાજપના પીઢ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબાનું આજરોજ નિધન થયું છે.
94 વર્ષની ઉંમર ધરાવતા હતા કમળા બા
કમળાબા 94 વર્ષની ઉંમર ધરાવતા હતા અને છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
સાથી મંત્રીઓ પણ ભૂપેન્દ્રસિંહ સાથે તેમના વતન જવા રવાના
માતાના નિધન અંગેના સમાચારો પ્રાપ્ત થતાં જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માદરે વતન જવા માટે રવાના થયાં હતા. સાથે જ તેમના સાથી મંત્રીએ પણ જોડાયા હતા.
પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
ઉલ્લેખનીય છે કે, કમળાબાના નિધનને પગલે ચુડાસમા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.