આજે રાજભવન ખાતે ગુજરાતનાં 17 માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમણે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા.
ગઇકાલે ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠકમાં નામ પર આખરી સહમતિ સધાયા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. ત્યારે હવે તેમણે શપથગ્રહણ પણ લઈ લીધા હતા
ગુજરાતનાં 17 મા મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે ઈશ્વરના સાક્ષીએ શપથ લીધા હતા. ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમણે શપથ લેવડાવવામાં આવ્યા હતા. સમારોહમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીઓ રહ્યા હાજર
આજે માત્ર ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરે તેવું માનવામાં આવી રહ્યું છે જ્યારે બાકીના નેતાઓ મંત્રીપદના શપથ લેશે. આજે તેમના શપથ ગ્રહણમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપી હતી. તો કેન્દ્રીય ગૃહમંત્રી ખાસ દિલ્હીથી હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીય અને પરષોતમ રૂપાલા પણ હાજર રહ્યા હતા,. કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના નિરીક્ષકો પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર પણ આ સમારોહમાં ગાંધીનગર ખાતે હાજર રહ્યા હતા.
કોણ છે ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ
હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગરના ટ્રસ્ટી
સ્કુલ બોર્ડ અમદાવાદના ૨૦૦૮-૧૦ સુધી ચેરમેન રહ્યા હતા
૧૯૯૫-૯૬ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ૨૦૧૦-૧૫ સુધી ચેરમેન રહી ચૂક્યા છે
ભૂપેન્દ્ર પટેલનું રાજકીય બેકગ્રાઉન્ડ
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાવ્યા છે.અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ. આનંદીબહેન પટેલના નજદીકી સાથીદાર અને ઔડાના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે..અમદાવાદમાં 2017ની વિધાનસભા ચૂંટણી માં આનંદી બહેનના પ્રસતાવ પર જ ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટીકીટ મળી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલને ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈને 1,17,750 મતની સરસાઈ સાથે કુલ 1,75,652 મત મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને 57,902 મત જ મળ્યાં હતા.