પાલિતાણામાં ચાલતા વિવાદને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૈન સમુદાય દ્વારા સરકારને રજૂઆત કરી તેઓની માંગણીઓ સંતોષવાની માંગ કરી હતી. જે મામલે રાજ્ય સરકાર દ્વારા SIT ની રચના કરવામા આવી છે.
પાલીતાણામાં ચાલતા વિવાદને લઇને મહત્વના સમાચાર
રાજ્ય સરકાર બનાવશે SIT
ગૃહ રાજ્યમંત્રીની હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક બાદ લેવાયો નિર્ણય
પાલીતાણામાં ચાલતા વિવાદને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ત્યારે જૈન સમુદાય દ્વારા સરકારને રજૂઆત કરી તેઓની માંગણીઓ સંતોષવાની માંગ કરી હતી. જે મામલે રાજ્ય સરકાર દ્વારા SIT ની રચના કરવામા આવી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાલીતાણામાં સમ્મેદ શિખર મામલે જૈન સમાજ આંદોલન કરી રહ્યો છે.
ટાસ્ક ફોર્સમાં પોલીસ, નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ હશે
પાલિતાણા દુનિયાભરના જૈનોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે પાલિતાણાના અનેક પ્રશ્નો છે. જેને લઈને મુખ્યમંત્રી દ્વારા અલગ અલગ મુદ્દે ચર્ચા કરાય છે. જેને લઈને પાલીતાણાના પ્રશ્નો મુદ્દે ટાસ્ટ ફોર્સ બનાવવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં પોલીસ, નગરપાલિકા, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ રહેશે. તેમજ આ ટાસ્ક ફોર્સ પાલીતાણાના પ્રશ્ન પર ઉકે લાવશે અને શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે અને શેત્રુંજય પર્વતની આસ્થા ક્યારેય ઓછી નહિ થવા દે.
સુરતમાં જૈન સમાજની મૌન રેલી
જૈન તીર્થ શેત્રુંજય અને સમ્મેદ શિખરને લઇ અઠવાલાઇન સરગમ શોપિંગ સેન્ટરથી લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલી યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જે મૌન રેલીમાં 15 હજારથી વધુ જૈન સમુદાયના લોકો જોડાયા હતાં. રેલીનું આયોજન હોવાથી હીરા બજાર અને કાપડ બજાર સુધી બપોર સુધી બંધ રાખવામાં આવ્યું હતું.
દેશભરમાં સમસ્ત જૈન સમાજ રોષ
છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા અંગે અને ગિરીરાજ શિખર પર તોડફોડ, ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યાં છે ત્યારે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે આજે ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા રેલીઓ પણ યોજાઈ રહી છે..
પાલિતાણાનો વિવાદ શું છે?
પાલિતાણામાં તોડફોડ કરવામાં આવી હતી. રોહિશાળામાં જૈનોના પ્રથમ તિર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાને ખંડિત કરાયા હતા. પગલા ખંડિત કરવા સાથે મંદિરના CCTV અને પોલમાં પણ તોડફોડ કરી હતી. તોડફોડની ઘટનાથી સમગ્ર રાજ્યના જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. 26 નવેમ્બરના રોજ પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવી હતી. નીલકંઠ મંદિરમાં પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચેના વિવાદને લઇ તોડફોડ થઈ હોવું જાણવા મળ્યું હતું.