નાગરિકતા સંશોધન બીલના વિરોધમાં તાજેતરમાં જ ભારત રત્નથી સમ્માનિત ભૂપેન હજારીકાના પરિવારે મોટો નિર્ણય લીધો છે. ભૂપેન હજારીકાના પરિવાર દ્વારા બીલના વિરોધમાં ભારત રત્ન એવોર્ડ પરત કરવાનું એલાન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભૂપને હજારીકાને ગત 25મી જાન્યુઆરીના રોજ જ મોદી સરકાર દ્વારા આ એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા. તો ભૂપેન હજારીકાના પરિવારમાં આ મામલે હજુ એક મત નથી.
તેમના ભાઈ સમરનું કહેવું છે કે ભૂપેન હજારીકા જેવા લીજેન્ડ માટે વ્યક્તિગત રીતે આ પ્રકારનો નિર્ણય લેવો યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બીલને લઈને આસામાં છેલ્લા કેટલાક દિવસોતી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
પીએમ મોદીએ તાજેતરમાં જ કહ્યું હતું કે ભૂપેન હજારીકાના આ સમ્માન પહેલા જ મળી જવું જોઈતું હતું. નાગરીકતા સંશોધન બીલને લઈને કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર આસામ અને પૂર્વોત્તરના તમામ રાજ્યોની સાંસ્કૃતિક ભાષા અને સંશાધનોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છું. ત્યારે ભૂપેન હજારીકાના પરિવાર દ્વારા કરવામા આવેલા એલાનથી અનેક અટકળો સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે જાણીતા અસમિયા ગાયક ભૂપેન હજારિકાના દિકરાએ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આ વર્ષે મોદી સરકાર દ્વારા મળનાર 'ભારત રત્ન' એવોર્ડ લેવાનો ઇનકાર કરી દીધો છે.
અમેરિકામાં રહેતા ભૂપેન હજારિકાના દિકરાએ જણાવ્યું કે નાગરિકતા બિલના કારણે રાજ્યમાં ઉભી થયેલી હાલની પરિસ્થિતિમાં આ એવોર્ડ લેવો યોગ્ય નિર્ણય નથી.