સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ સાથે સંકળાયેલ અનેક નિરાધાર ષડયંત્ર અને સિદ્ધાંતોએ ભત્રીજાવાદથી લઈને સંબંધો ખોટા રસ્તે જઇ રહ્યાં છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીની સહ-કલાકાર ભૂમિકા ચાવલાએ લોકોને દોષારોપણ કરવાનું બંધ કરવા વિનંતી કરી છે.
ભૂમિકા ચાવલાએ કર્યો સુશાંતને યાદ
સુશાંતના મોતનો મલાજો જાળવવા કરી અપીલ
તેમની ફિલ્મમાંથી સુશાંત સાથે એક તસવીર શેર કરતાં, ભૂમિકાએ લખ્યું, "પ્રિય સુશાંત - તમે જ્યાં પણ હોવ - તમે ભગવાનની આસપાસ છો.... તમને ગયાને એક અઠવાડિયું થયું છે ... તમારુ સિક્રેટ તમારી સાથે જ જતુ રહ્યું છે - તમારા હૃદય અને દિમાગમાં તે સિક્રેટ દફન થઇ ગયુ છે.... હું બધા લોકોને કહેવા માંગુ છું કે તમારી જાતની સંભાળ રાખો, તમારા આસપાસના લોકોની સંભાળ રાખો ... ”
ભૂમિકાએ ઘણી લાંબી પોસ્ટ લખી છે અને સુશાંતને યાદ કર્યો છે. સાથે જ તેમણે લોકોને વિનંતી કરી છે કે સુશાંતના નિધનનો મલાજો રાખો અને લોકોને તેના મોતના જવાબદાર ગણાવવાનુ બંધ કરો. તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો.
ઇન્ડસ્ટ્રીને તેના સવાલોના જવાબ જાતે જ શોધવા દો. કોઇ પણ સેલિબ્રિટીના પોતાના પણ કારણ હોઇ શકે. બ્લેમગેમ હવે બંધ કરો અને કોરોનાના કપરા કાળમાં એકબીજાનું ધ્યાન રાખો, પરિવાર અને આસપાસના લોકોનું ધ્યાન રાખો. પબ્લિક ડિસકશન્સ ન કરો.
ભૂમિકાની આ પોસ્ટથી સહમત દિપીકા પાદુકોણે પણ લોકોને અપીલ કરી હતી કે સુશાંતના ગયા પછી તેના પરિવારની મંજૂરી વગર તેના પર્સનલ તસવીર અને વીડિયો શૅર કરવા તે યોગ્ય નથી. તેના મોતની શરમ કરો અને આ બધુ બંધ કરો.