'ભૂજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે અને સાથે જ વિક્રમ બત્રાના જીવન પર બનેલી ફિલ્મ 'શેરશાહ' પણ રિલીઝ થઇ છે.
ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા થઇ રિલીઝ
અજયની એક્ટિંગ નહી કરે ઇમ્પ્રેસ
વાર્તામાં કંઇક ખૂટે છે તેવું લાગે છે
અભિષેક દુધૈયાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ઘણા પાત્રો અને કહાણીઓ સામે આવે છે પરંતુ કોઇ પણ પાત્ર કે કહાણી પ્રભાવશાળી નથી.
શું છે વાર્તા
ફિલ્મમાં અજય દેવગણ સ્ક્વાડ્રન લીડર વિજય કુમાર કાર્ણિકના પાત્રમાં છે. ફિલ્મની કહાણીની શરૂઆત 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના નરેશનથી થાય છે. અજય દેવગણ કહે છે કે ઇસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાન અલગ થઇ ગયા છે જે બાદ બંગાળી મુસલમાનો પર પાકિસ્તાની સેના ઝુલ્મ કરી રહી છે. પાક રાષ્ટ્રપતિ યાહ્યા ખાનની યોજના છે કે ભારતના ભૂજ એરબેઝ પર કબ્જો જમાવી લેવામાં આવે અને તે ભૂજ એરબેઝ પર ફાઇટર જેટ મોકલે છે જેનાથી ઘણું નુકસાન થઇ જાય છે.
નાટકીય લાગે છે વાર્તા
મુસ્લિમ પુરુષોની ઇમેજ વધારે નાટકીય લાગે છે. એક પાકિસ્તાની અધિકારીનું નામ તૈમૂર રાખવામાં આવ્યું છે, જેનાથી લાગે કે આ સૌથી ખરાબ નામ છે. પાકિસ્તાનના કોઇ પણ વ્યક્તિ વિશે બતાવવામાં આવ્યું નથી કે જે સામાન્ય માણસના રૂપમાં હોય.
ફિલ્મમાં કેટલાક સારા મુસલમાન છે. તેમાં જ એક મુસ્લિમ પાત્ર નોરા ફતેહીએ ભજવ્યું છે. તે એક પાકિસ્તાની અધિકારીના ઘરમાં ભારતીય જાસૂસ છે. પોતાના 5 મિનીટના રોલમાં તે 1 ડઝન હથિયારબંધ લોકોના ચંગુલમાંથી બચવાનો પ્રયત્ન કરતી દેખાય છે.
શું ખૂટે છે
ભૂજ તમારી આંખ, કાન અને હ્રદય પર એક બાદ એક હુમલો કરે છે. ફિલ્મમાં દર્શાવાયેલી વસ્તુઓ ખુબ નકલી દેખાય છે અને અજય દેવગણના સીન સિવાય સોનાક્ષી સિન્હાના ઉચ્ચારણ પણ અટપટા છે. ભૂજમાં સૌથી મોટી સમસમ્યા રાષ્ટ્રવાદના નામ પર બૂમો પાડવી છે.