ભુજ સ્વામિનારાયણ મંદિરના સાધુની કામલીલા મામલે હવે નિષ્કાશીત સ્વામીના પિતાએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. વિદેશમાં વસતા પિતાની એક ઓડિયો ક્લિપ સામે આવી છે જેમા તેઓ રાહુલ ભાઈ કરીને કોઈ અજાણ્ય ઈસમ સાથે વાતચીત કરી રહ્ય છે.
આ વાતચીત થઇ રહી છે કે તેમના પુત્રને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેમના પુત્રના ફોન અને લેપટોપનો દૂર ઉપયોગ કરીને ષડયંત્ર ઉભુ કરવામાં આવ્યું છે. કેટલાક હરી ભક્તો મારા સાધુ દિકરાને હેરાન પરેશાન કરી રહ્યા છે. અને જો આમને આમ થતું રહેશે તો સહ પરિવાર આગામી દિવસોમાં મંદિરના દ્વારા બહાર જ કેરોસીન છાંટીને આત્મવિલોપન કરશે.
ઓડિયો ક્લિપ:
ભાઈ એવું કંઈ કરો તમારી મહેરબાની રહેશે
12 હરી ભક્તો ઘરે જઈને ઉભા છે અને કહે છે
અમારી બાઈઓનું નામ કેમ આપ્યું
અને નામ આપ્યું તો કયાં કારણોસર આપ્યું
પેલા દિકરાને કાંઈ ખબર નથી
એના લેપટોપ અને ફોનનો દુર ઉપયોગ થયો છે
એલોકોએ આનો દુરઉપયોગ કર્યો છે
સાધુ દિકરાને ફસાવવામાં આવ્યો છે
બધા પુછ્યા કરે છે તમારી પાસે ~યાંથી ફોટો આવ્યો
પેલા બિચારાને કાંઈ ખબર નથી
હવે તે જવાબ દે તો કઈ રીતે દે
11થી 12 હરી ભ~તો ઘરે બેઠા છે
હવે જો આવી રીતે કરશે ને તો
મારા પરિવારે નિર્ણય કરી લીધો છે કે
મંદિરના દ્વાર પર જ કેરોસીન છાંટીને આત્મવિલોપન કરીશું
રાહુલ ભાઈ બને તો અમારી મદદ કરો