આપણે સાધુની વ્યાખ્યા કરવી હોય તો એવું કહેવાય કે, સાગર જેવાં દલડાં જેનાં, જે કદી રે ના છલકાય; ઝેરનાં પિયાલાં જીરવીને જાણે, અમૃત સૌને પાય... એટલે કે, જેનું દીલ સાગરથી પણ વિશાળા હોય અને ખુદ ઝેર પીવે પણ બીજાને ઝેર ન પાઈ તે સાધુ... પરંતુ સાધુતાને કલંક લગાવતો બફાટ આજે એક ભગવાધારીએ કર્યો છે.. કચ્છમાં દીકરીઓના માસીકધર્મના ચેકિંગનો વિવાદ હજૂ સમ્યો પણ નથી કે ત્યાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ સમાજને સરમમાં મુકી દીધો છે.. કેવી રીતે.. જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં...
સ્વામીના નામે સમાજના દુશ્મન
જેણે જન્મ આપ્યો તેનુ જ અપમાન?
મા-બહેનોનું સમ્માન કરતા નથી આવતું સ્વામીને?
આજે ગુજરાતની દીકરીના કપડા ઉતરાવાઇ છે. ગુજરાતની દીકરીના માસિકધર્મનું ચેકિંગ થાય છે. ગુજરાતની દીકરી ખુદને અસુરક્ષિત અનુભવી રહી છે. કારણ કે, કહેવાતા ધર્મના ઠેકેદારોએ આજે તેમને જીવતા-જીવત જિંદગીભરના ડામ દીધા છે. ભુજની સહજાનંદ કોલેજની હોસ્ટેલમાં રહેતી દીકરીઓ સાથે આ પ્રકારની ઘટના બની હતી. જેને હજુ તો 7 દિવસ જ થયા છે કે, ત્યાં ધર્મના ઠેકેદારે વધુએક બફાટ કરી નાખ્યો છે.
ભુજના સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરૂપ દાસજી જેમને અમે સાધુ નહીં પરંતુ સાધુના વેશમાં સમાજને વેરવિખેર કરવાનું કામ કહી શકાય. કારણ કે, આજે ગુજરાતની માતા, બહેન, પત્ની અને દીકરીની આબરુનો સવાલ છે.
શું કહ્યું સ્વામીએ?
ભુજમાં સહજાનંદ ગર્લ્સ કોલેજના વિવાદ મામલે સોમવારે ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કામ ન કરવા જોઇએ. આ સમયે ઘરનું કામ કરવાથી અનિષ્ટ થાય છે. એકવાર તમે માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના તમે રોટલા ખાઇ જાઓ એટલે બીજો અવતાર બળદનો જ છે. હવે તમને જે લાગવું હોય તે લાગે આ શાસ્ત્રની વાત છે. ત્યારે સ્વામીના આ વીડિયોને લઇને પણ વિવાદ શરૂ થઇ ગયો છે.
મહત્વનું છે કે, ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં જે દીકરીઓના કપડા ઉતરાવી તેમના માસિકધર્મનું ચેકિંગ થયું. આ મામલે સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો આ શરમજનક ઘટનાની નોંધ મહિલા આયોગે પણ લીધી છે.
ક્યા શાસ્ત્રના આધારે તેઓ આવો દાવો કરે છે ?
અહીં સવાલ એ થાય છે કે, સ્વામીકૃષ્ણસ્વરૂપ દાસ ક્યા શાસ્ત્રના આધારે દાવો કરે છે કે, આ રીતે અનુયાયીઓને ડરાવવા કેટલા યોગ્ય છે ? શા માટે ભક્તોને આવું જ્ઞાન આપે છે સ્વામી ? માસિક ધર્મ પાળવો કે નહીં તે નક્કી કરવા માટે મહિલા સંવતંત્ર છે તો પછી આ રીતનું દબાણ કેમ ? સ્વાભાવિક છે કે, ધર્મના ઠેકેદાર બનેલા સ્વામી આ પ્રકારનો બફાટ કરે ત્યારે સવાલો અનેક ઉઠવાના. પરંતુ માત્ર સવાલ ઉઠાવવાથી આવા સમાજના દુશ્મનો ખતમ થઈ જશે ? નહીં જ થાય. પરંતુ જો આવા ઢોંગીઓનું આપણે જ સાંભળવાનું બંધ કરી દેશું તો ચોક્કસથી આપણો સમાજ અને આપણી દીકરીઓ સુરક્ષિત રહી શકશે. સુરક્ષિત જીવી શકશે.