સ્વામી કૃષ્ણસ્વરૂપદાસનો વાયરલ વીડિયોનો મામલો ગરમાયો છે. જો કે, કેટલીક ધાર્મિક સંસ્થાઓ સ્વામીના સમર્થનમાં આવી છે. ત્યારે હવે આ ઘટનામાં વધુ એક વળાંક આવ્યો છે. સ્વામી કૃષ્ણસ્વરૂપદાસનો વાયરલ વીડિયોનો મામલે કટાક્ષ કરનારા લેઉવા પટેલ સમાજના આગેવાનને ધમકી મળી છે. આર.આર.પટેલને અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
સ્વામી કૃષ્ણસ્વરૂપદાસના વાયરલ વીડિયોનો મામલો
લેઉવા પટેલ સમાજના આગેવાન આર.આર.પટેલને મળી ધમકી
ફોન પર અજાણ્યા શખ્સે આપી ધમકી
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, સ્વામી કૃષ્ણસ્વરૂપદાસનો વાયરલ વીડિયોનો મામલે કટાક્ષ કરનારા લેઉવા પટેલ સમાજના આગેવાનને ધમકી મળી છે.જેને લઈને આર.આર.પટેલે ભૂજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, વાયરલ વીડિયો મામલે આર.આર.પટેલે કહ્યું હતું કે, સાધુઓએ સુધરવું જોઈએ. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..તો બીજી તરફ આ મુદ્દે આર.આર.પટેલે કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો હતો.
શું છે મામલો?
ભુજની સહજાનંદ કોલેજમાં વિવાદનો મામલો કંઈક એવો છે કે, આ સંસ્થામાં 68 વિદ્યાર્થીનીઓને નિર્વસ્ત્ર કરીને તે માસિકધર્મમાં છે કે નહીં તેની તપાસ કરાઈ હતી. વળી આ તમામ વિદ્યાર્થીનીઓ સાથે પિરિયડસ દરમિયાન અછૂત જેવુ વર્તન થતુ હતુ. આ મામલે ભુજના જ સ્વામિનારાયણના સાધુએ વિવાદીત નિવેદન આપ્યું હતુ.
શું હતુ વિવાદીત નિવેદન
માસિકધર્મ મામલે કૃષ્ણસ્વરૂપ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું હતુ કે, રજસ્વાલા સ્ત્રી અગર રસોઈ બનાવી પતિને જમાડે તો બીજા જન્મમાં કુતરી બને. જ્યારે જે પુરૂષ આવા સ્ત્રીના હાથે બનાવેલું જમે તો તે બીજા જન્મે બળદ બને.
વડતાલના સ્વામીએ કૃષ્ણસ્વરૂપ સ્વામીને સમર્થન આપ્યુ
ભુજ મંદિરને પણ વડતાલ સ્વામિનારાયણ મંદિરનું સમર્થન મળતા હવે આ વિવાદ વધી શકે છે. વિવાદિત નિવેદન કરનાર કૃષ્ણસ્વરૂપ સ્વામીને વડતાલનું સમર્થન છે. આ અંગે ભુજમાં પણ રેલી કાઢવામાં આવી હતી.