કચ્છ: ભુજ ખાતે આવેલ અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ 26 નવજાત શિશુના મોતનો કથિત વિવાદનો મામલો વકરી રહ્યો છે. બાળકોના મોત મામલે યોગ્ય તપાસની માંગ સાથે કચ્છ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા અદાણી-ભાજપ ભાઇ-ભાઈનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રી અને રાજ્યના આરોગ્યમંત્રીના રાજીનામાંની માંગ કરી હતી. કોંગ્રેસ કાર્યકરો રેલી યોજી કલેકટર આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. આ મામલે કચ્છ જીલ્લા કોંગ્રેસ દ્વારા તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભુજ ખાતે આવેલ અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ગત મે મહિનામાં ૨૬ નવજાતશિશુનાં મોત થયા છે. અદાણી હોસ્પિટલમાં બાળકોના મોત થઈને થયેલા વિવાદ લઈને રાજય સરકાર દ્વારા તપાસ ટીમની રચના કરી બાળકના મોત મામલે તપાસ કરવામાં આવી હતી. સરકાર દ્વારા બાળકના મોત મામલે તપાસના નામે તરકટ રચવામાં આવ્યું હોવાનો કોંગ્રેસ આરોપ છે. ત્યારે આજરોજ કચ્છ જીલ્લા કોંગ્રેસ દ્વારા જી.કે.જનરલ હોસ્પિટલની બહાર વિરોધ નોંધાવ્યો હતો.
આ સાથે કચ્છ જીલ્લા કોંગ્રેસ દ્વારા તટસ્થ તપાસની માંગ કરી છે અને બાળકના મોત મામલે તપાસ નામે નાટક કરવામાં આવી રહ્યું છે તેવો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે માંગણી કરવામાં આવી હતી કે તપાસ રીપોર્ટ સાર્વજનિક કરવામાં આવે. તેવી પણ માંગ સાથે રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.