કચ્છઃ અદાણી સંચાલિત GK હોસ્પિટલમાં બાળકોના મોત મામલે તપાસ કમિટી રાજ્ય સરકારને આજે રિપોર્ટ રજૂ કરી શકે છે. શનિવારે ભૂજની હોસ્પિટલમાં તપાસ કમિટીએ મુલાકાત લીધી હતી. તપાસ કમિટીએ હોસ્પિટલના તબીબોની પૂછપરછ કરી હતી. અને તપાસ કમિટીએ મૃતક બાળકોના ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા.
જોકે અહીં તપાસ કમિટીની તપાસને લઇને અનેક સવાલો અહીં ઉભા થાય છે. તપાસ કમિટીના રિપોર્ટથી ખુલશે પોલ? તપાસ કમિટી અદાણી ગ્રુપ સંચાલિત હોસ્પિટલને બચાવશે કે શું? તપાસ કમિટી તથ્ય બહાર લાવી શકશે? શું પછી તપાસ કમિટી તપાસમાં ઢાંકપિછોડો કરશે? 21 માસૂમના મોત કેમ થયા ? અદાણી ગ્રુપ સંચાલિત હોસ્પિટલ સામે કોઇ પગલા લેવાશે ? શું તબીબોની લાલિયાવાડી ઉઘાડી પડશે ?
21 માસૂમના મોત થયાં ત્યાં સુધી તંત્રની આંખ ન ખુલી? 21 માસૂમના મોતનું જવાબદાર કોણ? તબીબોની બેદરકારી કે સારવારનો અભાવ ? અદાણી ગૃપ સંચાલિત હોસ્પિટલમાં શું ખામી છે? કેમ માસૂમોના જીવ સાથે થઇ રહી છે રમત ? રાજ્ય સરકાર દ્વારા લેવાશે કોઈ પગલા? કેટલા સમયથી હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હતી? જેવા અનેક સવાલો થાય છે.
ઉલ્લેખનીય છે કે ભુજમાં અદાણી સંચાલિત હોસ્પિટલમાં બાળકોના મોત મામલે રાજ્યની આરોગ્યની ટીમ તપાસ માટે હોસ્પિટલમાં પહોંચી છે. ત્રણ ડોકટરોની ટીમ જી.કે. જનરલ હોસ્પિટલમાં તપાસ કરશે. મહત્વનું છે કે જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા 26 દિવસમાં કુલ 21 બાળકોના મોત થયા છે. અને આરોગ્યની ટીમ ક્યા કારણોસર બાળકોના મોત થઈ રહ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરશે.