ભુજમાં અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ સામે મૃત્યુના આંકડા છૂપાવનો આરોપ લાગ્યો છે. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જી.કે.જનરલ હોસ્પિટલ સામે આક્ષેપ કર્યા છે
જી.કે.જનરલ હોસ્પિટલ સામે આક્ષેપ
ભુજ નપાના વિપક્ષી નેતાએ ઉઠાવ્યા સવાલ
કોરોના મૃત્યુના આંકડા છૂપાવાનો આક્ષેપ
ભુજમાં અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ સામે મૃત્યુના આંકડા છૂપાવનો આરોપ લાગ્યો છે. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જી.કે.જનરલ હોસ્પિટલ સામે આક્ષેપ કર્યા છે કે જી.કે.જનરલ હોસ્પિટલ મૃતકોના આંકડા છૂપાવી રહ્યું છે.
હાલ સ્મશાન ગૃહમાં કોરોનાથી મૃત્યુ થયા બાદ વેઇટિંગ ચાલે છે. ત્યારે જી.કે.જનરલ હોસ્પિટલ આંકડા અને સ્મશાન ગૃહમાં વેઇટિંગ યાદીને જોતા મૃતકોના આંકડાઓમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.