ભારતમાં ઘણા બધા લોકોના ઘરના મંદિરમાં ગંગાજળ રાખવામાં આવે છે, આ જ પવિત્ર ગંગાજળને લઈને BHU દ્વારા કોરોના વાયરસ મુદ્દે મોટો દાવો કરાયો છે.
ગંગાજળમાં ઉપલબ્ધ બેક્ટીરિયોફોઝ કોરોના વાયરસને હરાવી શકે
ગંગાજળથી કોરોના વાયરસની સારવાર માટે હ્યુમન ટ્રાયલની તૈયારી
નિયમિત ગંગાજળનું સેવન અને સ્નાન કરતા લોકોને કોરોના ન થતો હોવાનો સર્વે
આ રિસર્ચને જર્નલ ઓફ માઈક્રોબાયોલોજીના આગામી અંકમાં સ્થાન
વારાણસીમાં કાશી વિશ્વ હિંદુ વિશ્વવિદ્યાલયના ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંગાજળમાં ઉપલબ્ધ બેક્ટીરિયોફોઝ કોરોના વાયરસને હરાવી શકે છે. ગંગાજળથી કોરોના વાયરસની સારવાર માટે હ્યુમન ટ્રાયલની તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે આ રિસર્ચને જર્નલ ઓફ માઈક્રોબાયોલોજીના આગામી અંકમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ગંગાજળનું સેવન કરનાર લોકો પર કોરોના સંક્રમણ જરાય અસર કરતુ નથી
બીએચયુના ન્યૂરોલોજી વિભાગના HOD પ્રો. રામેશ્વર નાથ ચોરસિયા, ન્યૂરોલોજીસ્ટ પ્રો. વી એન મિશ્રાની આગેવાનીમાં તબીબોની ટીમે ૪૯૦ લોકો પર સર્વે કર્યો. પ્રોફેસર શર્માએ જણાવ્યું કે શરૂઆતમાં સર્વેમાં જાણવા મળ્યું છે કે નિયમિત ગંગા સ્નાન અને ગંગાજળનું સેવન કરનાર લોકો પર કોરોના સંક્રમણ જરાય અસર કરતુ નથી.
આ બધાને ના થયો કોરોના
ગંગાના 50 મીટરના વિસ્તારમાં રહેનાર લોકો નિયમિત ગંગા સ્નાન અને ગંગાજળ જ પીવે છે અને તેવા 273 લોકો પર સર્વે કરવામાં આવ્યો, આ સર્વેમાં 30થી 90 વર્ષના લોકો સામેલ હતા. આ બધામાંથી કોઈને પણ કોરોના વાયરસનો ચેપ નથી લાગ્યો અને આ સર્વેથી રિસર્ચને પણ બળ મળી રહ્યું છે.
50 મીટરના જ વિસ્તારમાં એવા 217 લોકો પર પણ સર્વે કરવામાં આવ્યો જે ગંગાજળનો ઉપયોગ કરતા ન હતા, આ બધામાંથી 20 લોકોને કોરોના થયો અને તેમાંથી બેના મોત થયા છે.
પ્રોફસર મિશ્રાએ જણાવ્યું કે ગોમુખ, બુલંદશહર, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી સહીત 17 સ્થાનોમાં બેક્ટીરિયોફોઝના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં જાણવા મળ્યું કે જ્યાં ગંગા સંપૂર્ણ સ્વચ્છ છે ત્યાં તેમાં બીજા બેક્ટેરિયાને મારવાની ક્ષમતા છે.
તેમણે વધુમાં કહ્યું કે અમારી ટીમ દ્વારા એક સ્પ્રે તૈયાર કરવામાં આવ્યું છે જેની મદદથી કોરોના વાયરસથી મુકાબલો કરવાની તાકાત છે. કોઈ પણ સાઈડ ઈફેક્ટનો સવાલ ઉભો થતો નથી. નોંધનીય છે કે આ ટીમમાં એડવોકેટ અરૂણ ગુપ્તા, Dr.અભિષેક પાઠક, ડો.વરૂણકુમાર સિંહ, આનંદ કુમાર, ડો રજનીશ ચતુર્વેદી, સંશોધન વિદ્યાર્થી નિધિ સામેલ હતા.
મંજૂરી મળશે પછી થશે ક્લિનિકલ ટ્રાયલ
2 સપ્ટેમ્બરના રોજ, આ સંશોધનને આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ માઇક્રોબાયોલોજીમાં સ્વીકારવામાં આવ્યું છે. તે ટૂંક સમયમાં પ્રકાશિત થવાની અપેક્ષા છે. આ દરમિયાન સ્પ્રે ટ્રીટમેન્ટ માટે IMSને દરખાસ્ત મોકલવામાં આવી છે. ત્યાંથી મંજૂરી મળ્યા પછી, 198 કોરોના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. પ્રો. મિશ્રાએ કહ્યું કે જો સફળતા મળે તો સ્પ્રેના રૂપમાં કોરોના દવા ફક્ત 10 રૂપિયામાં મળશે.