કોંગ્રેસના દિગ્ગજ નેતા, રાજ્યસભા સભ્ય અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે.
દિગ્વિજય સિંહ કોરોના પોઝિટિવ આવ્યા
ચૂંટણી પ્રચારમાં જોડાયેલા અનેક નેતા કોરોના પોઝિટિવ આવ્યા
દિગ્વિજય સિંહ દિલ્હી નિવાસમાં ક્વોરેન્ટાઈન
દિગ્વિજય સિંહ કોરોના પોઝિટિવ આવ્યા
વરિષ્ઠ નેતાએ પોતે આની જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે મારો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં મારા દિલ્હી નિવાસમાં ક્વોરેન્ટાઈન છું. કૃપા આ દરમિયાન મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાને આઈસોલેશનમાં રાખી પોતાના સ્વાસ્થ્ય સંબંધિત તમામ સતર્કતા વર્તે.
मेरी कोविड जाँच रिपोर्ट पॉज़िटिव आयी है। फ़िलहाल अपने दिल्ली निवास पर क्वारंटीन में हूँ। कृपया इस दौरान मेरे संपर्क में आए सभी लोग खुद को आइसोलेशन में रखकर अपनी सेहत से संबंधित सभी सतर्कता बरतें।
ચૂંટણી પ્રચારમાં જોડાયેલા અનેક નેતા કોરોના પોઝિટિવ આવ્યા
દિગ્વિજય સિંહે દમોહ પેટા ચૂંટણી સમયે પ્રચાર કર્યો હતો. તેમના સિવાય પ્રચારમાં જોડાયેલા અનેક નેતા કોરોના પોઝિટિવ આવ્યા છે. કોંગ્રેસ નેતા બ્રૃજેન્દ્ર સિંહ, કોંગ્રેસ ઉમેદવાર અજય ટંડન અને કોંગ્રેસના દમોહ જિલ્લા અધ્યક્ષ મનુ મિશ્રા પણ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જતારા ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ મહામંત્રી હરિશંકર ખટીક, નિવાડી જિલ્લા અધ્યક્ષ અખિલેશ અપાર્ચે, પૂર્વ ધારાસભ્ય કેકે શ્રીવાસ્તવ સહિત અનેક અન્ય નેતા પણ પોઝિટિવ આવ્યા છે. આ તમામ નેતાઓ દમોહ ઉપચૂંટણીમાં પ્રચારની દોર સંભાળી હતી.
મધ્ય પ્રદેશમાં કોરોનાની સંખ્યા 3,73,518 થઈ
ત્યારે થોડાક સમય પહેલા સમાચાર સામે આવ્યા છે કે મધ્ય પ્રદેશમાં ગુરુવારે કોવિડ 19 સંક્રમણથી 53 વધુ લોકોના મોત થયા છે તથા 10, 166 નવા દર્દીઓમાં આ સંક્રમણની ખરાઈ થઈ છે. નવા રોગિઓ અને તેનાથી મરનારાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યાનુંસાર ગુરુવારે રાજ્યમાં 53 કોરોના દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાથી અત્યાર સુધીમાં મરનારનો આંક 4365 થઈ ગયો છે. તેણે કહ્યુ તે 24 કલાકમાં રાજ્યમાં 10, 166 નવા દર્દી મળતા કુલ કોરોનાનો આંકડો 3,73,518 થઈ ગયો છે.