મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગત દિવસોમાં વૃદ્ધ જગન્નાથ મૈથિલનું મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ત્રણ દિવસ બાદ જ્યારે મૃતક વુદ્ધની તપાસ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો તો અંતિમ સંસ્કારમાં સામેલ લોકોમાં ડરનો માહોલ ફેલાયો. સાથે જ વૃદ્ધનો ઇલાજ કરનારી હમીદિયા હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે, કારણ કે 3 દિવસ પહેલા જ્યારે વૃદ્ધનું મોત થયું હતું, ત્યારે તે સમયે ન પરિવારને કે ન હમીદિયા હોસ્પિટલના ડૉક્ટરોને એ ખબર હતી કે વૃદ્ધને કોરોના વાયરસ સંક્રમણ છે.
ભોપાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. ભોપાલમાં કોરોનાથી બીજુ મોત થઇ ગયું છે. શનિવાર મોડી રાત્રે ભોપાલના જહાંગીરાબાદ નિવાસી મૃતક જગન્નાથના તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા. તેમનું મોત 3 દિવસ પહેલા ભોપાલના હમીદિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. રાજધાનીમાં હવે કોરોનાથી મોતનો આંકડો 2 પર પહોંચ્યો છે. 6 એપ્રિલે ભોપાલમાં કોરોનાથી પહેલું મોત થયું હતું. કોરોના વાયરસથી સંક્રમિત ઇબ્રાહિમગંજ નિવાસી નરેશ ખટીકે ભોપાલના નર્મદા હોસ્પિટલમાં કોરોનાથી દમ તોડ્યો હતો.
સુભાષ વિશ્રામ ઘાટ પર પહોંચ્યા હતા મોટી સંખ્યામાં લોકો
જગન્નાથ મૈથિલનું 9 એપ્રિલે મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં બરખેડી જહાંગીરાબાદના લોકો મોટો સંખ્યામાં સામેલ થયા હતા. તે સમયે તમામ લોકો વિચારતા હતા કે દાદા વૃદ્ધ હતા. જેના કારણે તેમનું મોત થયું. તેમના અંતિમ સંસ્કારમાં જહાંગીરાબાદ સ્થિત તેમના ઘરેથી લઇને સુભાષનગર વિશ્રામ ઘાટ સુધી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સાથે જ તે સમયે તેમની સારવાર હમીદિયા હોસ્પિટલમાં ચાલી રહી હતી, તે સમયે ડૉક્ટર અને બીજા સ્ટાફને પણ તેમને કોરોના પોઝિટિવ હોવાની જાણ નહોતી. ડૉક્ટર સામાન્ય સારવાર કરી રહ્યા હતા. તેવામાં હવે 3 દિવસ બાદ પોઝિટિવ હોવાના રિપોર્ટ આવતાની સાથે જ હોસ્પિટલમાં ડૉક્ટર અને સ્ટાફમાં હટકંપ મચી જવા પામ્યો છે.