સેન્ટ્રલ ટ્રાન્સપોર્ટ અને શિપિંગ મંત્રી નિતિન ગડકરીએ દેશનાં ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે નવો ફોર્મ્યૂલા સૂચવ્યો છે.
દેશમાં ખેડૂતોની આત્મહત્યાને પુરી રીતે રોકી શકાય છે
છાણમાંથી પેન્ટ બનાવવાની ટેક્નોલોજીનો ઉલ્લેખ
શિક્ષણમાં પરફેક્શનનું વિઝન દેશ માટે મહત્વપૂર્ણ
દેશમાં ખેડૂતોની આત્મહત્યાને પુરી રીતે રોકી શકાય છે
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં શિક્ષણ મંડળ તરફથી આયોજિત સાર્થક એડમિશન 2021 કાર્યક્રમમાં નિતિન ગડકરીએ કહ્યું કે ખેડૂતોને નવી ટેક્નોલોજી અને નવા બજારની સાથે જો જોડવામાં આવે તો પછી દેશમાં તેમની આત્મહત્યાને પુરી રીતે રોકી શકાય છે.
છાણમાંથી પેન્ટ બનાવવાની ટેક્નોલોજીનો ઉલ્લેખ
ગડકરીએ છાણમાંથી પેન્ટ બનાવવાની ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આજે તેમન ત્યાં ગોબરમાંથી પેન્ટ બનાવવામાં આવી રહ્યું છે. જે બજારમાં વેચાતા ઓઈલ પેન્ટની સરખામણીએ સસ્તું છે. પેન્ટ માટે છાણ 4 રુપિયા પ્રતિ કિલોના હિસાબે ખરીદવામાં આવી રહ્યુ છે. જો દરેક ગામમાં છાણ પેન્ટ ફેક્ટ્રી લાગાવવામાં આવે તો કોઈ પણ ખેડૂત શું કામ આત્મહત્યા કરશે?
શિક્ષણ માટે ગડકરીનો મંત્ર
આ ઉપરાંત શિક્ષણ વ્યવસ્થા પર ભાર મુકતા ગડકરીએ કહ્યુ કે શિક્ષણમાં પરફેક્શનનું વિઝન દેશ માટે મહત્વપૂર્ણ છે. રાજનીતિમાં 5 વર્ષનો વિચાર હોય છે. પરંતુ શિક્ષણમાં સેન્ચ્યૂરીના હિસાબે વિચાર કરવામાં આવે છે. ભવિષ્યનું વિચારીને ઓછામાં ઓછા 50 વર્ષનો વિચાર કરવો જોઈએ. રાષ્ટ્ર નિર્માણમાં આ વિચાર જરુરી છે. જીવનમાં મજબૂત ઈચ્છા શક્તિ જરુરી છે. શિક્ષાનો હેતુ શું છે. સૌથી પહેલા આના પર વિચાર જરુરી છે. દરેક વ્યક્તિ ડોક્ટર, આઈએએસ, આઈપીએસ નથી બની શકતો. આપણે એવું કરવું પણ નથી. જો દુનિયાની સાથે કોમ્પિટિશન કરવાની છે તો વિચાર પણ તે હિસાબે હોય.
શિવરાજે કહ્યું રોજગારની સાથે સંસ્કાર પર પણ ધ્યાન
કાર્યક્રમ દરમિયાન સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે શિક્ષાનો હેતુ કૌશલ આપવાનો છે. નાગરિકતાના સંસ્કાર આપવા પણ શિક્ષામાં સામેલ છે. શિક્ષામાં રોજગારની સાથે સાથે સંસ્કાર પરથી ધ્યાન આપવાની જરુર છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને કાર્યક્રમ દરમિયાન એલાન કર્યુ કે કોઈ પણ સ્કૂલ બંધ કર્યા વગર 15 કિમીની દાયરામા બીજી નવી સ્કૂલ ખોલો. સરકારી સ્કૂલોમાં પણ શિક્ષાનું સ્તર વધારે સારુ કરી શકાય.
આ હતુ આયોજન
રાજધાની ભોપાલમાં ભારતીય શિક્ષણ મંડળ તરફથી સાર્થક એડુ વિજન 2021નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત પ્રશાસન એકેડમીમાં આત્મનિર્ભર ભારત પર નેશનલ એક્સપો એન્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ સુધી ચાલી રહેલા આ આયોજનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને ઉદ્ધાટન કર્યુ. આ દરમિયાન સ્કુલ શિક્ષામંત્રી ઈંદર સિંહ પરમાર, ટેક્નોલોજી શિક્ષા મંત્રી યશોધરા રાજે સિંધિયા, ઉચ્ચ શિક્ષા મંત્રી મોહન યાદવ, પર્યટન મંત્રી ઉષા ઠાકુર પણ હાજર રહ્યા. 2 દિવસો સુધી આમાં શિક્ષા ક્ષેત્રમાં નવા ચારોને લઈને મંથન થશે.