મધ્ય પ્રદેશના ભોપાલમાં હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલી રાની કમલાપતિ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે.
હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાની કમલાપતિ કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી 15 નવેમ્બરે આ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું ઉદ્યાટન કરશે
450 કરોડના પ્રોજેક્ટ વાળા આ સ્ટેશનને પીપીપી મોડ પર તૈયાર કરવામાં આવ્યું
હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાની કમલાપતિ કરવામાં આવ્યું
મધ્ય પ્રદેશ સરકારે આને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે શિવરાજ સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. પત્રમાં કહ્યું છે કે વર્તમાન રેલવે સ્ટેશનનું નામ હબીબગંજ રેલવે સ્ટેશન છે. જેને બદલીને રાની કમલાપતિ રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું. મધ્ય પ્રદેશના પરિવહન વિભાગ તરફથી આ ચિઠ્ઠી કેન્દ્ર સરકારને લખવામાં આવી હતી.
પ્રધાનમંત્રી 15 નવેમ્બરે આ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું ઉદ્યાટન કરશે
હકિકતમાં પ્રધાનમંત્રી મોદી 15 નવેમ્બરે આધુનિક સુવિધાઓને સજ્જિત હબીબગંજના વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું ઉદ્યાટન કરશે. જેની પહેલા ભોપાલ લોકસભા સીટથી ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાની માંગ કરી ચૂક્યા છે.
भोपाल में 15/11/2021को मान. PM श्री @narendramodi जी का #जनजातीय_गौरव_दिवस
पर आना हमारे भोपाल के लिए शुभ संकेत हैं मुझे विश्वास है कि मान.मोदी जी हबीबगंज रेलवे स्टेशन को पूर्वPM श्री अटल बिहारी वाजपेयी जी के नाम पर होने की घोषणा करेंगे और मेरे पूर्व से इस आग्रह की पूर्णता होगी।
પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે ટ્વીટ કરી ભોપાલમાં 15 નવેમ્બર 2021ને પીએમ મોદીનો જનજાતીય ગૌરવ દિવસ પર આવવું અમારા ભોપાલ માટે શુભ સંકેત છે. મને વિશ્વાસ છે કે મોદીજી હબીબગંજ રેલવે સ્ટેશનું નામ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપઈજીના નામ પર રાખવાની જાહેરાત કરશે.
450 કરોડના પ્રોજેક્ટ વાળા આ સ્ટેશનને પીપીપી મોડ પર તૈયાર કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે 450 કરોડના પ્રોજેક્ટ વાળા હબીબગંજ સ્ટેશનને પીપીપી મોડ પર તૈયાર કરવામાં આવ્યું છે. હબીબગંજ સ્ટેશન દેશમાં પહેલું એવું રેલવે સ્ટેશન બનશે જ્યાં એરપોર્ટની જેમ વર્લ્ડ ક્લાસ સુવિધા પ્રવાસીઓને મળી શકે છે. આ સ્ટેશન પર લોકો ભીડ વર ટ્રેનના બર્થ સુધી પહોંચી શકે છે. જે પ્રવાસી સ્ટેશન પર ઉતરશે તે પણ અલગ અલગ માર્ગોના માધ્યમથી સ્ટેશનની બહાર નીકળી જશે.