મધ્યપ્રદેશમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દૂર્ઘટના ઘટી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વિસર્જન સમયે એક હોડી પલટી જતાં 13 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય કેટલાંક લોકો લાપતા થયા છે.
પ્રદેશના મંત્રી પીસી શર્માએ કહ્યું સરકાર દૂર્ઘટના અંગે તપાસ કરશે
મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયનું એલાન
અત્યાર સુધીમાં 11 મૃતદેહ બહાર કઢાયાં, 4 લાપત્તા હોવાની આશંકા
ભોપાલમાં ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના સર્જાઇ છે. ગણેશ વિસર્જન કરવા જતાં સમયે હોડી પલટવાથી 13 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે હજુ પણ કેટલાક લોકો લાપત્તા છે. હોડીમાં 19 લોકો સવાર હતા. હાલ અન્ય લોકોની શોધખોળ ચાલું છે.
આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોને બચાવવામાં આવ્યાં છે. તળાવમાં હોડી પલટવાથી આ દૂર્ઘટના ઘટી છે. ખાટલાપુર ઘાટ નજીક આજે વહેલી સવારે 4.30 કલાકની આસપાસ આ ઘટના ઘટી છે. પ્રદેશના જનસંપર્ક મંત્રી પીસી શર્માએ આ દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપ્યાં છે. જ્યારે મંત્રીએ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
PC Sharma, MP Minister on 11 dead after boat capsized in Bhopal this morning: The incident is really unfortunate. A compensation of Rs 4 lakh has been announced for the families of the deceased by the District Collector. Investigation will be done. pic.twitter.com/JWin2guDII
એક મળતા અહેવાલ મુજબ ગણેશ વિસર્જન કરવા હોડી તળાવમાં લઇ જવામાં આવી હતી. આ હોડી ઘણી નાની હતી જ્યારે મૂર્તિ ઘણી મોટી હતી. મૂર્તિ વિસર્જન માટે પાણીમાં ઉતારવા દરમિયાન હોડી પલટી ગઇ. આ દરમિયા શ્રદ્ધાળુઓ મૂર્તિ નીચે આવી ગયા. અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે જ્યારે અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
Madhya Pradesh: 11 bodies recovered at Khatlapura Ghat in Bhopal after the boat they were in, capsized this morning. Search operation is underway. More details awaited. pic.twitter.com/mEMSJdzhE9