લીલા ભીંડાની તુલનામાં લાલ ભીંડા (red okra) વધુ ફાયદાકારક અને પૌષ્ટિક હોય છે.
ભોપાલના ખેડૂત બન્યા માલામાલ
જાણો કઈ રીતે કરે છે લાલ ભીંડાની ખેતી
800 રૂપિયે કિલો વેચાય છે ભીંડા
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ખેડૂત મિશ્રીલાલ રાજપૂત હાલના દિવસોમાં એક ખાસ પ્રકારના ભીંડાની ખેતીને લઈને ચર્ચામાં છે. કારણ કે માર્કેટમાં તેમના ભીંડાની કિંમત સામાન્ય ભીંડા કરતા કેટલાય ઘણી વધારે છે અને લાલ ભીંડા (Red Lady Finger)ની ખેતીએ તેમને માલામાલ કરી દીધા છે. હવે દૂર દૂરથી આવનાર ખેડૂત મિશ્રીલાલ રાજપૂત પાસેથી લાલ ભીંડાની ખેતી વિશે જાણકારી લઈ રહ્યા છે અને તેમની રીત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
માર્કેટમાં 800 રૂપિયા પ્રતિ કિલો ભીંડાની કિંમત
ચોંકાવનારી વાત એ છે કે આ વર્ષે લાલ ભીંડાની કિંમત માર્કેટમાં 300થી 400 રૂપિયા પ્રતિ 250 ગ્રામ/ 500 ગ્રામ છે. મતલબ કે મિશ્રીલાલ રાજપૂતને બજારમાં લાલ ભીંડાના ભાવ 800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળી રહ્યો છે.
બનારસથી ટ્રેનિંગ લઈને આવ્યા હતા મિશ્રીલાલ
ભોપાલના ખેડૂત મિશ્રીલાલ રાજપૂત લાલ ભીંડાની ખેતી કરવા માટે ટ્રેનિંગ લેવા માટે બનારસ ગયા હતા. ત્યાં તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ વેજીટેબલ રિસર્ચ સેન્ટરમાં લાલ ભીંડાની ખેતી કરવાની રીત જાણી હતી. જણાવી દઈએ કે આ પહેલા આ પ્રકારના ભીંડાની ખેતી યુરોપિયન દેશોમાં થતી હતી અને ભારતીય બજારોમાં તેની આયાત કરવામાં આવતી હતી.
કેટલું થાય છે ઉત્પાદન અને કેટલો થાય છે ખર્ચ
ખેતીની પ્રક્રિયા વિશે મિશ્રીલાલ રાજપૂત જણાવે છે કે કૃષિ અનુસંધાન સંસ્થાન પાસેથી 1 કિલો બીજ લઈને આવ્યા હતા. જેમાં કિંમત લગભગ 2400 રૂપિયા હતી. તેમણે જણાવ્યું કે 'બનારસથી પરત ફર્યા બાદ પોતાના બગીચામાં ભીંડાની ખેતી કરવાનો વિચાર કર્યો હતો. મેં જુલાઈના પહેલા અઠવાડિયામાં પાક વાવ્યો હતો અને લગભગ 40 દિવસમાં ભીંડાનું ઉત્પાદન થવા લાગ્યું.' મિશ્રીલાલ રાજપૂતે જણાવ્યું કે, "એક એકડ જમીન પર ઓછામાં ઓછુ 40-50 ક્વિટલ અને વધુમાં વધુ 70-80 ક્વિન્ટલ ઉત્પાદન કરવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તેમાં ઈલ્લી અને બીજી કીડા જલ્દી નથી લાગતા અને તેનો પાક સામાન્ય ભીંડાની સરખામણીએ જલ્દી તૈયાર થઈ જાય છે. લાલ ભીંડાની ખેતી વખતે કોઈ પણ હાનિકારક જંતુનાશકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો."
કેમ આટલા મોંઘા છે લાલ ભીંડા અને શું છે ખાસિયત?
માર્કેટમાં લાલ ભીંડાની કિંમત વધારે છે કારણ કે લોકો તેને ખૂબ પસંદ કરે છે. લોકોનું કહેવું કે ભોજનમાં તેનો સ્વાદ ખૂબ સારો છે. મિશ્રીલાલ રાજપૂતે જણાવ્યું કે, ગ્રીન ભીંડાની તુલનામાં લાલ ભીંડા વધુ ફાયદાકારક છે અને પોષ્ટિક પણ છે. તેએ લોકો માટે ફાયદાકારક છે. જે હૃદય રોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, હાઈ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. લાલ ભીંડામાં એન્ટી ઓક્સીડેન્ટ, આયરન અને કેલ્શિયલ સહિત ઘણા અન્ય પોષક તત્વો હોય છે. જે હેલ્થ માટે ખૂબ સારૂ છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વો પણ છે જે હાર્ટ માટે ફાયદાકારક છે.