મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના પીપુલ્સ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 10થી 12 દર્દીઓના મોત થયા છે.
ભોપાલમાં ઓક્સિજનની અછતથી 10થી 12ના મોત
હોસ્પિટલ મેનેજમેન્ટે આ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો
દર્દીઓના પરિવારજનો સતત ફરિયાદ કરી રહ્યા છે
ભોપાલમાં ઓક્સિજનની અછતથી 10થી 12ના મોત
મધ્ય પ્રદેશમાં ઓક્સિજનની અછતના કારણે હાહાકાર મચ્યો છે. રોજ કોઈને કોઈ જિલ્લામાંથી મોતના સમાચાર આવી રહ્યા છે. ઓક્સિજનના કારણે શહડોલમાં થયેલા 12 લોકોના મોતનો મામલો હજું ઠંડો નથી પડ્યો ત્યાં ભોપાલથી પણ આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે.
હોસ્પિટલ મેનેજમેન્ટે આ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો
જાણકારી મુજબ પ્રદેશની રાજધાની ભોપાલના પીપુલ્સ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 10થી 12 દર્દીઓના મોત થયા છે. આ બાદ સમગ્ર હોસ્પિટલમાં હડકંપ મચ્યો છે. જો કે હોસ્પિટલ મેનેજમેન્ટે આ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે સવારે ઓક્સિજન સપ્લાય થોડાવાર માટે અટક્યો જરુર હતો પરંતું તેના કારણે મોત નથી થયા.
દર્દીઓના પરિવારજનો સતત ફરિયાદ કરી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે ગત અનેક દિવસોથી દર્દીઓના પરિવારજનો એ વાતની ફરિયાદ કરી રહ્યા છે કે આ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત છે. હોસ્પિટલ સ્ટાફ પણ આ વાતને જણાવીને હોસ્પિટલમાં દાખલ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુંસાર આ હોસ્પિટલમાં ગત દિવસોમાં સાગર નિવાસી રમાકાંત તિવારીનું મોત થયું હતુ.
ઓક્સિજનનું પ્રમાણ વધ ઘટ થતી રહે છે - હોસ્પિટલ
હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થવા પર મોડી રાતે સવારે ઓક્સિજન ખતમ અથવા ઓછી થઈ જાય છે. મનાઈ રહ્યુ છે કે પીપુલ્સ કોવિડ હોસ્પિટલ સેન્ટરમાં સોમવારે સવારે ઓક્સિજન સપ્લાય બંધ થતા 10થી 12 લોકોના મોત થયા છે. આના પર હોસ્પિટલ મેનેજમેન્ટનો દાવો છે કે તબિયત વધારે ખરાબ થવાને કારણે મોત થયું છે. ઓક્સિજન સપ્લાય તો વધ ઘટ થતી રહે છે.
બે દિવસ પહેલા શહડોલમાં થઈ હતી મોત
બે દિવસ પહેલા શહડોલમાં પણ ઓક્સિજનની અછતને કારણે 12 કોવિડ દર્દીઓના મોત થયા હતા. આ ઘટના શહડોલ મેડિકલ કોલેજમાં થઈ હતી. આ 12 મોતની પુષ્ટિ શહડોલની ઉપર કલેક્ટર અર્પિત વર્માએ કરી હતી. જાણકારી મુજબ ઓક્સિજનનું પ્રેશર શનિવારે રાતે 12 વાગે અચાનક ઓછુ થઈ ગયુ. આ બાદ દર્દી તડપવા લાગ્યા હતા. પરિવારજનો માસ્ક દબાવીને તેમને રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તે નિષ્ફળ રહ્યા. આ બાદ સવારે 6 વાગ્યા સુધીમાં સ્થિતિ ન સુધરી અને 12 દર્દીઓના મોત થયા. આ બાદ આઈસીયુમાં દાખલ આ દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ પહેલા ભોપાલ, સાગર, જબલપુર, ઉજ્જૈનમાં ઓક્સિજનની અછતથી સંક્રમિત દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.