મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ એકવાર ફરી વધતા સરકાર કેટલાક મોટા પગલા ભરી શકે છે.
ભોપાલ અને ઈન્દોરમાં નાઈટ કર્ફ્યૂ લાગવાની તૈયારી
2 જિલ્લામાં આયોજનની ક્ષમતાથી અડધા લોકોની હાજરીના નિર્દેશ આપ્યા
મહારાષ્ટ્રની સીમા પર વિશેષ સાવધાની
ભોપાલ અને ઈન્દોરમાં નાઈટ કર્ફ્યૂ લાગવાની તૈયારી
કોરોનાના વધતા કેસના પગલે ભોપાલ અને ઈન્દોરમાં નાઈટ કર્ફ્યૂ લાગવાની તૈયારી છે. શુક્રવારે થયેલી કોરોના સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને નિર્દેશ આપ્યા છે કે જો કોરોના દર્દીઓની સંખ્યા ભોપાલ અને ઈન્દોરમાં ઓછી નથી થઈ રહી. ત્યારે રવિવારે રાતે અથવા સોમવારની રાતે નાઈટ કર્ફ્યૂ લાગી શકે છે.
...તો કડક પગલા પણ ભરાશે
સીએમ શિવરાજ સિંહ ચૌહાને કહ્યું કે કોરોના સંક્રમણ રાજ્યમાં વધી રહ્યું છે. જે ચિંતાની વાત છે કોરોનાને કોઈ પણ રીતે નિયંત્રણમાં લેવાનું છે. તે માટે તમામ ઉપાયો કરવામાં આવશે. જન જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે. કોરોના સંક્રમણ દર વધી રહ્યો છે તો કડક પગલા પણ ભરાશે. ભોપાલ અને ઈન્દોર જિલ્લામાં રવિવારે અથવા સોમવારે નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવી શકે છે. મુખ્યમંત્રીએ આ 2 જિલ્લામાં સભા કક્ષમાં થનારા આયોજનની ક્ષમતાથી અડધા લોકોની હાજરીના નિર્દેશ આપ્યા છે.
મહારાષ્ટ્રની સીમા પર વિશેષ સાવધાની
બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, જબલપુર સહિત મહારાષ્ટ્રની બોર્ડર પર લાગેલા જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા વિશેષ સતર્કતા વર્તવામાં આવી રહી છે. મહારાષ્ટ્રથી આવનારા પ્લેન, ટ્રેન અને બસોમાં આવનારા પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ કરાશે અને રોકો ટોકો અભિયાન હેઠળ માસ્ક અને અન્ય ઉપાયો માટે પ્રેરિત કરવામાં આવશે. મહારાષ્ટ્રથી આવનારાને મર્યાદિત કરવા માટે બેઠકમાં વિચાર કરવામાં આવ્યો હતો.
દુકાનો પર કડકાઈ
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે ભોપાલ, ગ્વાલિયર, જબલપુર સહિત મહારાષ્ટ્રની બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓ અને 10થી વધારે કોરોના સંક્રમિત પ્રકરણો વાળા જિલ્લામાં દુકાનદારોએ પોતાની દુકાનમાં કોરનાથી બચવા માટે તમામ સુરક્ષાત્મક ઉપાયો કરવા પડશે. દુકાનની સામે દોરડુ લગાવો. દુકાન પર આવનારા ગ્રાહકોની વચ્ચે પર્યાપ્ત અંતર રાખો, ગ્રાહકોને સેનેટાઈઝરના ઉપયોગ કરવા અને માસ્ક લગાવવા માટે પ્રેરિત કરવામાં આવે. જે દુકાનદારો આ સુરક્ષા ઉપાયોનું પાલન નહીં કરી શકે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.