ઘરમાં મહાદેવની તસ્વીર લગાવતા સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
મહાદેવ ઘણા કૃપાળુ અને દયાળુ ભગવાન છે
ભક્તોની ભક્તિથી જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે
ઘરમાં ભગવાન શિવના રૌદ્રસ્વરૂપની તસ્વીર ન લગાવી જોઈએ
ભગવાન શિવને ભોલેનાથના નામે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મહાદેવ ઘણા કૃપાળુ અને દયાળુ ભગવાન છે. એ ભક્તોની ભક્તિથી જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને એટલા માટે જ એમને ભોલેનાથના નામે ઓળખવામાં આવે છે. ભોલેનાથને ખુશ કરવા માટે લોકો ઘરમાં એમની તસ્વીર લગાવે છે અને વિચારે છે કે આવું કરવાથી ભોલેનાથ જલ્દી જ ખુશ થઈ જશે.
જો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં ભોલેનાથની તસ્વીર કે મૂર્તિ લગાવવાથી મહાદેવ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. પણ ઘરમાં મહાદેવની તસ્વીર લગાવતા સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વાસ્તુ અનુસાર ઘરમાં ન લગાવો આવી મૂર્તિ કે તસ્વીર
વાસ્તુના જાણકાર કહે છે કે ઘરમાં મહાદેવની તસ્વીર કે મૂર્તિ લગાવતા સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘરમાં ભગવાન શિવના રૌદ્રસ્વરૂપ વાળી તસવિર ભૂલથી પણ ન લગાવી જોઈએ. ઘરમાં આવી તસવીરો લગાવવી અશુભ માનવામાં આવે છે. જો તમે ઘરમાં ભગવાન શિવના રૌદ્રસ્વરૂપની તસ્વીર લગાવો છો, તો પરિવારના સભ્યોના મનમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ભગવાન શિવ કૈલાશ પર્વત પર બિરાજમાન છે એવી તસ્વીર લગાવી શકો છો. આ સિવાય ભગવાન શિવ નંદી પર બિરાજમાન છે એ તસ્વીર પણ ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આ દિશામાં ન લગાવો તસ્વીર
ઘરમાં ભગવાન શિવની તસ્વીરએવી દિશામાં લગાવો જ્યાં દરેક લોકો એમના દર્શન કરી શકે. ખાસ કરીને ઘરની ઉતર દિશામાં તસ્વીર લગાવવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે.