સોમવારના દિવસે મહાદેવની કૃપા મેળવવા માટે આ સરળ ઉપાય કરી લેશો તો જીવનમાં આવેલ દરેક પરેશાની અને સમસ્યા ભોળેનાથ દૂર કરી દેશે.
સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે
સોમવારે સવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ ચઢાવો
આજના દિવસે શું કરવું અને શું નહીં જાણો
આપણા હિન્દુ શાસ્ત્રો મુજબ અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે અને એ જ રીતે આજે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે એવું માનવામાં આવે છે. અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા સરળ છે. તેમની આરધના કરવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ સોમવારનો દિવસ ગણવામાં આવે છે. સાથે જ એવી પણ માન્યતા છે કે આજના દિવસે મહાદેવની કૃપા મેળવવા માટે આ સરળ ઉપાય કરી લેશો તો જીવનમાં આવેલ દરેક પરેશાની અને સમસ્યા ભોળેનાથ દૂર કરી દેશે.
સાથે જ એવી પણ માન્યતા છે કે સોમવારના દિવસે મહાદેવની કૃપા મેળવવા માટે આ સરળ ઉપાય કરી લેશો તો જીવનમાં આવેલ દરેક પરેશાની અને સમસ્યા ભોલેનાથ દૂર કરી દેશે. ભગવાન શિવને ભોલેનાથના નામે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મહાદેવ ઘણા કૃપાળુ અને દયાળુ ભગવાન છે. એ ભક્તોની ભક્તિથી જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને એટલા માટે જ એમને ભોલેનાથના નામે ઓળખવામાં આવે છે.
સોમવારનો ઉપાય
સોમવારે સવારે વહેલા સ્નાન કરીને પૂજા કર્યા પછી મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. સોમવારે સવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ ચઢાવો અને સાથે જ 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરતા રહો. આ સિવાય સોમવારે પૂજામાં બિલી પત્ર અને ચોખાનો ઉપયોગ કરવો જોઈએ સાથે જ પૂજામાં પીળા ચંદનનો ઉપયોગ કરો. જે લોકોના લગ્ન નથી થતાં અથવા લગ્નમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેમણે સોમવારે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
સોમવારના દિવસે શું કરવું અને શું નહીં
એવું માનવામાં આવે છે કે સોમવારની પૂજા દરમિયાન ક્યારેય પણ કાળા રંગના કપડા પહેરીને ન બેસવું જોઈએ. આ સિવાય જો તમે સોમવારે ઉપવાસ કરી રહ્યા છો તો આ દિવસે કોઈ ખોટું કામ કરવાની કોશિશ ન કરવી જોઈએ. આ સાથે જ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો જોઈએ. ધ્યાન રાખો કે શિવને નારિયેળ ચઢાવવું શુભ છે પરંતુ ભોલેનાથને ક્યારેય નારિયેળ પાણી ન ચઢાવવું જોઈએ. ભગવાન શિવની પૂજાના દિવસે તમે લીલા, લાલ, સફેદ, કેસરી અથવા પીળા વસ્ત્રો પહેરી શકો છો.