જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાતોના મતે મહાશિવરાત્રિની પહેલા મુખ્ય ગ્રહોના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓના જીવનમાં ખૂબ જ શુભ અને મંગળદાયી પરિવર્તન આવવાના છે.
સૂર્યદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યાં છે
સુખ-સમૃદ્ધિનો કારક ગણાતો શુક્ર ગ્રહ મીન રાશિમાં જઈ ચૂક્યો છે
જાણીએ કે કઈ-કઈ રાશિઓનું ભાગ્યોદય થવાનું છે
આજે મહાશિવરાત્રીનો તહેવાર આખા દેશમાં ધૂમ-ધામથી મનાવવામાં આવી રહ્યો છે. બધા જ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે ભગવાન શિવની પૂજા કરવાની અને તેમના આશીર્વાદ મેળવવાની ઈચ્છા સાથે લોકો હર-હર મહાદેવના જાપ કરી રહ્યા છે. હિંદુ પંચાંગ અનુસાર, આ તહેવાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ઊજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રિ પર ગ્રહોનો સારો સંયોગ પણ બની રહ્યો છે. મહાશિવરાત્રિ પહેલા એટલે કે 13 ફેબ્રુઆરીના દિવસે સૂર્યદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યાં છે અને તેના બે દિવસ પછી એટલે કે 15 ફેબ્રુઆરીએ સુખ-સમૃદ્ધિનો કારક ગણાતો શુક્ર ગ્રહ મીન રાશિમાં જઈ ચૂક્યો છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મહાશિવરાત્રિ પહેલા, જ્યારે મોટા ગ્રહો તેમની રાશિ બદલી નાખે છે, ત્યારે તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાતોના મતે મહાશિવરાત્રિની પહેલા મુખ્ય ગ્રહોના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓના જીવનમાં ખૂબ જ શુભ અને મંગળદાયી પરિવર્તન આવવાના છે. તો આવો જાણીએ કે કઈ-કઈ રાશિઓનું ભાગ્યોદય થવાનું છે...
મિથુન રાશિ -
જ્યોતિષની ગણતરી મુજબ આ વખતે મહાશિવરાત્રી મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાની છે. નાણાકીય લાભ માટેની ઉત્તમ તકો મળશે. ભાગ્યના સારા સહયોગથી દરેક કાર્યમાં સારી સફળતા મળશે. જે લોકો નોકરી કરે છે, તેમને નવી અને સારી તકો મળશે. તો બીજી બાજુ, વ્યવસાય કરતા લોકોને ઘણી પ્રગતિ થવાની સંભાવના છે. મિથુન રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે, જેના કારણે તેઓ કાર્યસ્થળમાં તેઓ સારું પ્રદર્શન કરી શકશે.
સિંહ રાશિ -
મહાશિવરાત્રી પહેલા સૂર્ય અને શુક્ર ગ્રહનો શુભ સંયોગ સિંહ રાશિના જાતકો માટે વરદાનરૂપ સાબિત થશે. નોકરી અને વ્યવસાયમાં સારા પરિણામો જોવા મળશે. તમે જો કોઈ યોજનાઓ બનાવી હશે તો તેમાં સફળ થશો. તમને પૈસા કમાવવાની ઉત્તમ તકો મળશે. શિક્ષણ ક્ષેત્રે પણ પ્રગતિ થવાની સંભાવના છે. જે લોકો હાલમાં કોઈપણ સરકારી સ્પર્ધાની પરીક્ષામાં વ્યસ્ત છે, તેમને મહાશિવરાત્રી પછી સારા સમાચાર મળી શકે છે.
કન્યા રાશિ -
આ મહાશિવરાત્રીએ કન્યા રાશિના જાતકો પર ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા રહેશે. દરેક ક્ષેત્રમાં સારા સમાચાર મળવાના સંકેતો બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાના પણ સંકેત છે. જે લોકો આ સમયે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો તેમના માટે મહાશિવરાત્રિ પછી સારી તકો ઊભી થઈ રહી છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે અને તમે જીવનનો આનંદ માણી શકશો.
ધન રાશિ -
આ મહાશિવરાત્રી બાદ ધન રાશિના જાતકો માટે ઘણું સારું થશે. નાણાકીય લાભ માટે ઉત્તમ તકો મળશે. જે લોકોએ પૈસા કોઈને ઉધાર આપ્યા છે કે દેવાના રૂપમાં પૈસા ફસાયેલા છે તેઓને તે પાછા મળી શકે છે. આવકના સાધનોમાં વધારો થશે. જે લોકો કોઈપણ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે તે કોઈપણ રીતે વરદાનથી ઓછું નથી. ધન રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે.
કુંભ રાશિ -
આ મહાશિવરાત્રિએ કુંભ રાશિના જાતકોના ભાગ્યમાં મોટો બદલાવ આવવાનો છે. ભાગ્યનો સાથ મળશે જેથી દરેક કામ સમયસર પૂર્ણ થશે. તમને પૈતૃક સંપત્તિમાંથી પણ અચાનક ધનલાભ થવાની સંભાવના છે. જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળી શકે તેમ છે, જ્યારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને અન્ય જગ્યાએથી સારી નોકરી માટે સારી ઑફર્સ મળી શકે છે. પરિવાર અને મિત્રોના સારા સહયોગને કારણે તમે કોઈ મોટું કામ કરી શકશો.
તુલા રાશિઃ
તુલા રાશિના જાતકોને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં લાભ થશે. કોઈ મોટી ડીલ થઈ શકે છે. નવું વાહન લેવા માટેનો પણ સારો સમય છે . સાસરાપક્ષ તરફથી પણ સારા સમાચાર મળી શકે છે.