સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ તેના ફેન્સ અને પરિવાર આ આઘાતમાંથી બહાર આવી નથી શકી રહ્યાં. સુશાંતે દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારે પોલીસ પણ આ કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે. જોકે, સુશાંતની મોત બાદ બોલિવૂડમાં નેપોટિઝ્મને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. સુશાંતના આ રીતે અચાનક જતા રહેવાથી ભોજપુરી સ્ટાર્સે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. હાલમાં જ સુશાંત સિંહના ઘરે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોજપુરી એક્ટર ખેસારી લાલ યાદવ, પવન સિંહ અને અક્ષરા સિંહ પણ પટના સ્થિત તેના ઘરે પહોંચ્યા હતા.
સુશાંતની મોત પર ભોજપુરી સ્ટાર્સ પણ દુઃખી
સુશાંતના ઘરે પહોંચ્યા આ સ્ટાર્સ
સુશાંતના પિતાને આપી સાંત્વના
ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ પટના સ્થિત સુશાંતના ઘરે પહોંચ્યા હતા. જ્યાં સુશાંતના પિતા અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી હતી. સુશાંતને યુપી બિહારનું ગૌરવ જણાવતાં કહ્યું કે અમે એ ગૌરવ ગુમાવી દીધું. ખેસારીએ કહ્યું, હું પણ એક કલાકાર છું અને એટલે જ સમજી શકું છું કે, ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ છે અને એમાં કંઈ નવું નથી. આવું બહુ પહેલાંથી થતું આવ્યું છે. તેણે કહ્યું સુશાંતના જવાથી લોકોમાં રોષ છે પરંતુ તેમણે આ આક્રોશ પહેલાં બતાવ્યું હોત તો સુશાંત આજે આપણી વચ્ચે હોત.
ભોજપુરી એક્ટર અને સિંગર પવન સિંહ પણ સુશાંતના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે તેના પરિવારને મળીને સાંત્વના આપી હતી. પવન સિંહે કહ્યું કે, સુશાંત બિહારનો લાલ હતો, જેણે પોતાની મહેનતથી આખા બિહારને બોલિવૂડમાં ગૌરવ અપાવ્યું હતું. તેની એક્ટિંગના બધાં કાયલ હતા. તે રિયલ હીરો હતો. તેના જવાથી ખૂબ દુઃખ થયું છે.
જ્યારે ભોજપુરી એક્ટ્રેસ અને સિંગર સુશાંતના ઘરે પહોંચી હતી અને આ દુઃખના સમયમાં તેણે પરિવારને સાંત્વના આપી હતી. તે સુશાંતના પિતાને મળીને ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી. તેણે કહ્યું સુશાંત એક જીવંત વ્યક્તિ હતો. કોઈના સપોર્ટ વિના આ મુકામ પર પહોંચ્યો હતો. ઈન્ડસ્ટ્રીમાં તેણે તેની એક ખાસ ઓળખ ઊભી કરી હતી. આપણે એક સુપરસ્ટાર અને ખૂબ જ સારા વ્યક્તિને હમેશા માટે ગુમાવી દીધો.