બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી બાદમાં આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો, કેટલાક એક્ટર્સ પણ ખુલીને સામે આવ્યા અને સુશાંત માટે ન્યાયની માંગ કરી હતી. જેમાં 40 વર્ષની ભોજપૂરી એક્ટ્રેસ અનુપમા પાઠક પણ હતી. અનુપમાએ પણ આત્મહત્યા કરી લીધી છે.
વધુ એક એક્ટ્રેસની આત્મહત્યા
ભોજપૂરી અભિનેત્રીએ કરી આત્મહત્યા
સુશાંત મટે કરી હતી ન્યાયની માગ
અનુપમા આત્મહત્યાના એક દિવસ પહેલા લાઇવ થઇ હતી અને તેણે કહ્યું હતું કે પર્સનલ લાઇફમાં તે કેટલીક તકલીફોથી ઝઝૂમી રહી છે. લાઇવમાં તેણે કહ્યું હતું કે, જો તમે કોઇના પર ભરોસો કરીને તમારી પ્રોબ્લેમ શૅર કરો છો તો તે તમારો ગમે તેટલો સારો મિત્ર હોય, તમારાથી દુર થઇ જશે. કારણકે કોઇ તેવુ નથી ઇચ્છતું કે પોતે કોઇ પ્રોબ્લેમમાં ફસાય.
અનુપમાએ બીજી ઘણી વાતો કરી કે તે કેટલીક ચીજોથી તકલીફમાં છે. તમે અનુપમાનું ફેસબૂક જોશો તો પણ આઇડિયા આવી જશે કે તે તણાવમાં હતી. 18 જૂને એક્ટ્રેસે એવી પોસ્ટ મૂકી હતી જેને જોઇને તમને લાગે કે તે ખરેખર હતાશ હતી.
અનુપમાએ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માગ પણ કરી હતી અને ફેસબૂક પર પોસ્ટ કરી હતી.
આપણે કંઇ પણ કહીએ 2020નુ વર્ષ આપણા સૌ માટે સારુ વર્ષ નથી. એક બાદ એક ખરાબ વસ્તુઓથી આપણે રુબરુ થવાનું છે.