દિલ્હી ચલો અભિયાન અંતર્ગત એક ખેડૂતનું રોડ અકસ્માતમાં મોત થયું છે. આ ઘટના ભિવાની જિલ્લામાં મુંઢાલ ગામની પાસે બેરિયર પર બની છે. એક ટ્રકે દિલ્હી જઈ રહેલા ખેડૂતના ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી ટક્કર મારી હતી. જેમાં ટ્રેક્ટરમાં સવાર 45 વર્ષીય ઘન્ના સિંહ નામના ખેડૂતનું સ્થળ પર મોત થયું છે. ઘન્ના સિંહ પંજાબના માનસા જિલ્લાના ખ્યાલી ચેહલાવાલી ગામના રહેવાસી હતા.
45 વર્ષીય ઘન્ના સિંહ નામના ખેડૂતનું સ્થળ પર મોત થયું
રોડ અકસ્માતમાં ખેડૂતનું મોત થતા ઘટના સ્થળે રહેલી પોલીસે કાર્યવાહી ચાલુ કરી હતી. ત્યારે ખેડૂતોએ પોલીસે ડેડ બોર્ડીને કબ્જામાં લેવા દીધી નહોંતી. આ ઘટના બાદ પોલીસ સ્થળ પર તૈનાત છે. પોલીસે આરોપી ટ્રક ચાલકની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઘટનામાં 2 ખેડૂતો ઘાયલ થયા છે. જેમને રોહતકના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ તપાસમાં જોડાયી છે.
હક માટે નું પ્રદર્શન અને અનેક અવરોધો
ઉલ્લેખનીય છે કે ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં આ પ્રદર્શન કરીરહ્યા છે. તેમણે 26-27 નવેમ્બર દિલ્હી ચલો અભિયાન અંતર્ગત ટ્રેક્ટરમાં દિલ્હી તરફ કુચ કરી છે. જોકે તંત્ર કોરોનાના નામે તેમને પ્રદર્શન કરતા રોકવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ખેડૂતોએ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે બિહારની ચૂંટણી સમયે કોરોનાની ગાઈડલાઈન ક્યાં હતી. ખેડૂતોને રોકવા ટિયર ગેસના શેલ, પાણીનો મારો તેમજ બેરિકેટ લગાવવા જેવા ઉપરાંત ક્યાંક તો પ્રસાસને રોડ સુદ્ધા ખોદી નાંખ્યા છે. જો કે મક્કમ મનનો જગતનો તાત પોતાના હક માટે તમામ પડકારોની વચ્ચે આગળ વધી રહ્યો છે. ત્યારે આ ગોઝારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા હતા.