મુંબઈમાં ભીમા કોરેગાંવ હિસાના આરોપી સંભાજી ભિડે ઉર્ફ ગુરૂજીની ધરપકડની માગને લઈને ભારિપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે દલિતો સામજ દ્વારા રેલી કાઢવામાં આવી છે. પુણેથી કાઢવામાં આવેલી રેલી મુંબઈમાં યલગારમાં પહોંચી છે. દલિત સમાજના લોકો આઝાદ મેદાનમાં પહોંચ્યા છે. આ રેલી દલિત નેતા પ્રકાશ આંબેડકરના નેતૃત્વમાં યોજવામાં આવી.
મહત્વનુ છે કે 1 જાન્યુઆરીના રોજ ભીમા કોરેગાંવમાં હિંસા થઈ હતી. જેમા શિવ પ્રતિષ્ઠાન સંગઠનના પ્રમુખ સંભાજી ભિડે અને મિલિંદ એકબોટેના વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે મિલિંદની ધરપકડ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી સંભાજીની પોલીસે ધરપકડ કરી નથી. જેના કારણે દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.