યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે ગોરખપુર સદરમાંથી સીએમ યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર
CM યોગીની સામે ગોરખપુરથી ચૂંટણી લડશે ચંદ્રશેખર આઝાદ
આઝાદ સમાજ પાર્ટીએ ચંદ્રશેખર આઝાદનું નામ જાહેર કર્યું
યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા એક મહત્વના સમાચાર આવ્યાં છે. આઝાદ સમાજ પાર્ટીના ચીફ અને યુપીમાં જાણીતો દલિત ચહેરો એવા ચંદ્રશેખર આઝાદ ગોરખપુર બેઠક પરથી CM યોગીની સામે ચૂંટણી લડશે. આઝાદ સમાજ પાર્ટીએ ગોરખપુર બેઠકના ઉમેદવાર તરીકે ચંદ્રશેખર આઝાદનું નામ જાહેર કર્યું છે. હવે આ બેઠકનો મુકાબલો ખૂબ દિલચસ્પ બન્યો છે. ભાજપના રાધા મોહન દાસ અગ્રવાલે 2017માં ગોરખપુર સદરમાંથી 60,000ના માર્જિનથી જીત મેળવી હતી. આ બેઠક ૧૯૮૯ થી ભાજપ પાસે છે. ચીફ ચંદ્રશેખર આઝાદની સાથે આ બેઠકનો મુકાબલો દિલચસ્પ બન્યો છે. Koo App
છેલ્લા પાંચ વર્ષથી લડ્યો છું અને લડતો રહીશ- ચંદ્રશેખર આઝાદ
આઝાદ સમાજ પાર્ટીએ ગોરખપુર સદર બેઠક પરથી ચંદ્રશેખર આઝાદને ઉમેદવાર જાહેર કર્યાં છે. પાર્ટીના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા આઝાદે ટ્વિટ કરીને જણાવ્યું કે ઘણો ઘણો આભાર સાધુવાદ. છેલ્લા પાંચ વર્ષથી લડ્યો છું અને લડતો રહીશ. જય ભીમ-જય મંડલ, બહુજન હિતાય, બહુજન સુખાય.
અખિલેશ અને આઝાદની પાર્ટીનું ગઠબંધન સફળ ન થયું
ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર આઝાદ અખિલેશની સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને યુપી વિધાનસભાની ચૂંટણી લડવાના હતા.આ માટે આઝાદ બે વાર અખિલેશને મળ્યાં હતા પરંતુ વાતચીત સફળ રહી નહોતી. આઝાદે આરોપ લગાવ્યો હતો કે અખિલેશને દલિત વોટ તો જોઈએ છે પરંતુ દલિત નેતાનો સ્વીકાર નથી. આ પછી સમાજવાદી પાર્ટી અને આઝાદ સમાજ પાર્ટીએ અલગ અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી.