ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદે રવિવારે પોતાની નવી પાર્ટી બનાવી છે. ચંદ્રશેખર આઝાદની આ પાર્ટીનું નામ 'આઝાદ સમાજ પાર્ટી' હશે. ખાસ વાત એ છે કે ચંદ્રશેખર આઝાદે પોતાની પાર્ટીની સ્થાપના બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સંસ્થાપક કાંશીરામના જન્મદિવસના અવસરે કરી છે.
બસપાના સુપ્રીમો માયાવતી માટે મોટો ઝટકો
ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદે રવિવારે પોતાની નવી પાર્ટી બનાવી
ચંદ્રશેખર આઝાદની આ પાર્ટીનું નામ 'આઝાદ સમાજ પાર્ટી' હશે
ચંદ્રશેખર આઝાદ દ્વારા નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરવી બસપાના સુપ્રીમો માયાવતી માટે મોટો ઝટકો સાબિત થઇ શકે છે. તેનાથી માયાવતીની કોર વોટબેન્ક એટલે કે દલિત વોટ બેન્કમાં સેંધ લાગવાની શક્યતા બની છે. બસપાના સંસ્થાપક અને મોટા દલિત નેતા ગણવામાં આવતા કાંશીરામના જન્મદિવસના અવસરે પોતાની પાર્ટીની સ્થાપના કરી ચંદ્રશેખર આઝાદે તેના સંકેત પણ આપી દીધા છે. ચંદ્રશેખરનું આ પગલુ વર્ષ 2022માં થનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાને લેતા પશ્ચિમી યૂપીની રાજનીતિમાં એક નવું સમીકરણ બની શકે છે.
ત્યારબાદ જામા મસ્જિદમાં સીએેએના વિરોધમાં થયેલા ધરણા પ્રદર્શનમાં પણ ચંદ્રશેખર આઝાદ સામેલ થયા હતા. આ દરમિયાન આઝાદના હાથમાં બંધારણના નિર્માતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીર હતી. એન્ટી સીએેએ વિરોધ પ્રદર્શન બાદ ચંદ્રશેખર આઝાદ ચર્ચાનું કેન્દ્ર બન્યા. આઝાદે દેશમાં ફરીને સીએએ (CAA) ના વિરોધમાં માહોલ બનાવવાની કોશિશ કરી હતી. ચંદ્રશેખર આઝાદ પોતે યુવાન છે અને આક્રમક રાજનીતિને પગલે યુવાનોમાં તેની સ્વીકાર્યતા ઝડપથી વધી છે.