નવી દિલ્હી ખાતે રવિદાસ મંદિર તોડવાના વિરોધમાં રામલીલા મેદનમાં એકઠા થયેલા ભીમ આર્મીના કાર્યકર્તાઓ ઉગ્ર થઇ ગયા અને પથ્થરમારો કર્યો. જેને રોકવા પોલીસે બળપ્રયોગ કર્યો તેમજ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર સહિત કેટલાક લોકોની અટકાયત કરી. જો કે ભીમ આર્મીના પ્રમુખની અટકાયત બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ચંદ્રશેખરના બચાવમાં ઉતરી આવ્યાં છે.
પ્રિયંકા ગાંધીએ પોતાના ટવિટ કરી જણાવ્યું છે કે ભાજપ સરકાર પહેલા કરોડો દલિત ભાઇ-બહેનોને સાંસ્કૃતિક વારસાના પ્રતિક રવિદાસ મંદિર સ્થળ સાથે છેડછાડ કરે છે અને જ્યારે દેશના પાટનગરમાં હજારો દલિત ભાઇ-બહેન પોતાનો અવાજ ઉઠાવે છે તો ભાજપ તેના પર લાઠી વરસાવે છે, ટિયર ગેસ ચલાવે છે, ધરપકડ કરે છે.
दलितों की आवाज़ का ये अपमान बर्दाश्त से बाहर है। यह एक जज़्बाती मामला है उनकी आवाज का आदर होना चाहिए।#SaveSantRavidasTemple
પ્રિયકાં ગાંધીએ એક અન્ય ટવિટમાં લખ્યું છે કે, દલિતોની ઉઠતી અવાજનું અપમાન સહન કરી શકાશે નહીં. આ એક ભાવના સાથે જોડાયેલો મામલો છે જેનો આદર થવો જોઇએ.
દિલ્હીના તુગલકાબાદમાં બુધવાર મોડી રાતે થયેલી હિંસમાં અત્યાર સુધીમાં 91 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભીમ આર્મી ચીફ ચન્દ્રશેખર આઝાદ ઉર્ફે રાવણ પણ સામેલ છે. આજરોજ સવારે આ વિસ્તારને છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યાં છે. દિલ્હી પોલીસ સાથે પેરામિલિટ્રી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રવિદાસ મંદિર તોડવાના વિરોધમાં રામલીલા મેદાન ખાતે બુધવાર સાંજે તુગલકાબાદ પહોંચી ગયા હતા. હજારો લોકો તોડાયેલા મંદિર તરફ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. જો કે પોલીસે તેમને રોકતા આ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો. ભીડ ઉગ્ર થઇ જતાં તેને રોકવા અંતે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો.