ઉત્તરપ્રદેશની સહારનપુર જેલમાંથી છૂટયા બાદ ચંદ્રશેખર ઉર્ફ રાવણે ભાજપ સામે જંગ છેડી છે. ચંદ્રશેખરે જણાવ્યું કે હવે હું ભાજપને સબક શીખવાડવાનું કામ કરીશ. હું જેલમાંથી શીખ્યો છું અને હવે તેને લાગુ કરીશ. પરંતુ આજ બાદ મારા સમાજના લોકોને હેરાનગતિ પહોંચી તો હું હવે કહીશ નહીં પણ બીજી વાર જેલમાં જવા તૈયાર રહીશ.
Bhim Army Chief Chandrashekhar alias Ravan who was jailed under NSA charges in connection with 2017 Saharanpur caste violence case was released from prison at 2:24 am today. Uttar Pradesh government ordered his early release yesterday pic.twitter.com/2pZlpk9tBO
હું બહુજન સમાજ માટે મરવા માટે તૈયાર છું. ખૂબ જ જલ્દીથી તમને સંસદમાં અમારી મોટી સંખ્યા જોવા મળશે. સરકાર એટલી ડરેલી છે કે બીજી વાર ફરિયાદ દાખલ નહીં કરી શકે. જેથી પોતાનો જીવ બચાવવા માટે મને છોડવાં આવ્યો છે.
બાદમાં ફરીથી મારા પર કોઈ આરોપ લગાવીને જેલમાં ધકેલવાની કામગીરી કરશે. તેમ છતા અમે તૈયાર છીએ. આગામી 2019ની ચૂંટણીમાં ભાજપને ઉખાડી ફેકીશું. હવે તેમને સત્તાથી દૂર ખદેડવાના છે.
Saharanpur: Bhim Army Chief Chandrashekhar alias Ravan comes out of jail after Uttar Pradesh government ordered his early release. He was jailed under NSA charges in connection with the 2017 Saharanpur caste violence case pic.twitter.com/kqE0fz53Yj
ઉલ્લેખનીય છે કે રાવણે 1 નવેમ્બર 2018 સુધી જેલમાં રહેવાનો હતો પરંતુ હવે તેને તાજેતરમાં છોડી દેવામાં આવ્યો હતો. રાવણ સિવાય બે અન્ય આરોપીઓ સોનૂ પુત્ર નાથીરામ અને શિવકુમાર પુત્ર રામદાસને પણ સરકારે મૂક્ત કરવાનો નિર્ણય લીધો હતો. જો કે જેલની બહાર આવતા જ ચંદ્રશેખર ઉર્ફે રાવણે ભાજપ સામે જંગ છેડવાની જાહેરાત કરતા વાતાવરણમાં ગરમાવો ફેલાયો હતો.
આપને જણાવી દઇએ કે ગત વર્ષ સહારનપુરમાં દલિતો અને ઠાકોરો વચ્ચે થયેલ જાતીય હિંસાને લઇને લગભગ એક મહિના સુધી જિલ્લામાં તણાવ રહ્યો હતો. ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખરે હિંસાનો મુખ્ય આરોપી માનતા ધરપકડ કરી તેની વિરૂદ્ધ કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
Govt was so scared that they are going to be rebuked by Supreme Court that they ordered an early release to save themselves. I'm confident that they'll frame some charges against me within 10 days: I'll ask my ppl to throw BJP out of power in 2019: Bhim Army Chief Chandrashekhar pic.twitter.com/h9JmBfQGmm
જ્યારબાદ ડીએમ સહારનપુરના રિપોર્ટ પર ચંદ્રશેખર વિરૂદ્ધ રા.સુ.કા. લગાવી દીધો હતો. જેને લઇને ભીમ આર્મીનો વિરોધ થયો હતો. સાથે જ રાવણની મુક્ત કરવાની માગને લઇને લખનૌથી દિલ્હી સુધી પ્રદર્શન થઇ રહ્યા હતા.ત્યારે ગતરોજ તેને મુક્ત કરવામાં આવ્યો હતો.