અમદાવાદમાં માર્ગ અને મકાન વીભાગની જમીનનો બારોબાર વહીવટ કરીને અંદાજીત 100 કરોડની જમીનને બારોબાર વેંચી નાખવાનું માસ મોટું કૌભાંડ સામે આવતા ભારે હલચલ
અમરાઈવાડીમાં સરકારી જમીનનો જ 'વહીવટ'
100 કરોડની જમીન વેંચી મારવાનું કૌભાંડ
10-10 લાખના પ્લોટ પાડી પહેરાવી દેવાનું કૌભાંડ
અમદાવાદમાં માર્ગ અને મકાન વીભાગની જમીનનો બારોબાર વહીવટ કરીને અંદાજીત 100 કરોડની જમીનને બારોબાર વેંચી નાખવાનું માસ મોટું કૌભાંડ સામે આવતા ભારે હલચલ મચી ગઈ છે. અમદાવાદના અમરાઇવાડીમાં તલાવડી વેચવાનું કૌભાંડ સ્થાનિક ધારાસભ્યની સતર્કતાથી સામે આવતા પ્રાંત અધિકારીની ઊંઘ હરામ થઇ ગઈ છે. ધારાસભ્ય જગદીશ પટેલે આ અંગે રજૂઆત કરતા કૌભાંડ સામે આવ્યું હતું.
તલાવાડીની જમીનનું કૌભાંડ
અમદાવાદમાં સરકારી ફાજલ પડેલી જમીન પર પોતાના માલિકી હક દર્શાવી જમીનને બારોબાર વેંચી નાખવાનુ કૌભાંડ કઈ પહેલી વખત સામે નથી આવ્યું. અગાઉ બે-ત્રણ મહિના પહેલા પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. હવે અમરાઈ વાડી વિસ્તારમાં તલાવડી વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. અંદાજે 100 કરોડનીજમીન 10-10 લાખના પ્લોટ ગણાવી વેંચી મારવાનો આખો કારસો ઝડપાયો છે, સ્થાનિક ધારાસભ્ય જગદીશ પટેલે રજૂઆત કરતા પ્રાંત અધિકારી સફાળા જાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકારી જમીન વર્ગ-3ના કર્મચારીઓ માટે મકાન માટે આ જગ્યા ફાળવાઇ હતી. અને 20 વર્ષ પહેલા કર્મચારીઓને મકાન માટે જમીન ફાળવી હતી
કાચા-પાકા મકાન પણ ભાડે અપાયા
અમરાઈવાડીના તલાવડી વિસ્તારમાં આ જમીન જાહેર બાંધકામ વિભાગના નામે બોલે છે. તલાવડીની100 કરોડની કુલ 15 હજાર 682 ચો.મી.જમીન પર ગેરકાયદે કાચા-પાકા મકાનો છે જેને કહેવાય છે કે, આ મકાનો ભાડે આપીને હજારોનું ભાડુ પણ વસૂલાય છે.ધારાસભ્યની રજૂઆત બાદ હવે પ્રાંત અધિકારીએ નોટીસ મોકલવી શરુ કરી છે.