તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તેમાં રહેલા દરેક પાત્રની અલગ ફેન ફોલોઇંગ છે. ખાસ કરીને જેઠા-દયાની જોડીને લોકો ખુબ વખાણે છે અને તેમનો દિકરો ટપ્પૂ તો લોકોનો હોટ ફેવરિટ છે. કારણકે ટપ્પૂએ નાનપણમાં જેટલી મસ્તી કરી છે તે જોઇને બાળકો પણ મોટા થઇ ગયા છે. પહેલા ટપ્પૂનો રોલ ભવ્ય ગાંધી કરતો હતો તેણે શો છોડ્યા બાદ રાજ અનડકટ ટપ્પૂનો રોલ પ્લે કરી રહ્યો છે. હાલમાં જ થયેલી ભવ્ય સાથેની વાત ચીતમાં તેણે કહ્યું કે તે શોમાં પરત ફરવા માંગે છે.
ભવ્ય ગાંધી કરવા માંગે છે કમબેક
અસિત મોદીએ ગણાવ્યો હતો અનપ્રોફેશનલ
બાળપણ મુંબઇની ફિલ્મ સિટીમાં વિત્યુ
ભવ્ય શોમાં કરવા માંગે છે કમબેક
ભવ્ય ગાંધી હાલ ગુજરાતી ફિલ્મોમાં એક્ટિવ છે અને તે વારંવાર ઇન્ટરવ્યૂમાં પણ તારક મહતા..ના સદસ્યોને યાદ કરતો રહેતો હોય છે. તે કહે છે કે તેનું બાળપણ મુંબઇની ફિલ્મ સીટીમાં વિત્યુ છે અને શોના પાત્રો જ તેના પરિવારના પાત્રો જેવા છે. તે એક પરિવાર જ છે. અલગ અલગ લોકો સાથેની તેની અલગ મેમરી છે. હવે તેને કમબેક કરવું છે પરંતુ કંઇક અલગ સ્ટાઇલમાં.
કેમ છોડ્યો શો
ભવ્યને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તેણે કે શો છોડ્યો ત્યારે તેણે કહ્યું કે, એકનું એક કામ કરીને દરેક વ્યક્તિને નવું કરવાની ઇચ્છા થતી હોય છે અને તેને પણ કંઇક નવું કરવું હતું. જેના કારણે તેણે ટોપ પર રહેલા શોમાંથી એક્ઝિટ લઇ લીધી. અસિત મોદી તેના માટે પિતા સમાન છે અને તેમની સાથે કામ કરીને તેણે ઘણુ બધુ શીખ્યુ છે પરંતુ તારક મહેતા...નો સેટ માત્ર દુનિયા નથી. તેને હજુ આગળ કંઇક શીખવું છે અને એક્સપ્લોર કરવું છે.
અસિત મોદીએ કહ્યો હતો અનપ્રોફેશનલ
અસિત મોદીએ કહ્યું કે, અમને જ્યારે ભવ્યની ખુબ જરૂર હતી તે જ સમયે તેણે શો છોડી દીધો હતો. હું તેના માટે પિતા સમાન હતો અને મેં તેને ખુબ સપોર્ટ કર્યો પરંતુ તેણે અમને ઇન્ફોર્મ કર્યા વગર જ ગુજરાતી ફિલ્મ સાઇન કરી લીધી હતી અને અમને ત્યાં સુધી વાંધો ન હતો જ્યાં સુધી અમારુ શૂટ સફર નહોતુ થતું પરંતુ એક વાર જ્યારે રિપબ્લિક ડેનું શૂટ હતુ ત્યારે તે આવ્યો નહી અને બાદમાં અમારે નવા ફેસ સાથે તેને રિપ્લેસ કરવો પડ્યો.
સક્સેસ ચડ્યુ માથે
અસિત મોદીએ વધુમાં કહ્યું કે, ભવ્યના મગજમાં ફેમ ચડી ગયો હોય તેવું લાગી રહ્યું હતું. ટપૂના કેરેક્ટરે તેને ખુબ સફળતા અપાવી હતી પરંતુ તેણે શો છોડી દીધો હતો. બાદમાં રાજ અનટકટે ટપૂનો રોલ કર્યો.
કેવી રીતે કરવા માંગે છે કમબૅક
ભવ્યએ કહ્યું કે, જ્યારે સેટ પર કોઇ સેલિબ્રિટી આવતા ત્યારે આખી ટીમની ઉર્જા કંઇક અલગ હતી અને તે સમયે સેટ પર જવું ગમશે. ક્યારેક તે તેની ફિલ્મના પ્રમોશન માટે તારક મહેતા..ના સેટ પર જવા માંગે છે. અસિત મોદી અલાઉ કરશે કે નહી તેના માટે ભવ્યને શંકા છે પરંતુ જે જગ્યાએ તેણે કામ કર્યુ છે તે જગ્યાએ એક્ટર તેની ફિલ્મના પ્રમોશન માટે જવા ઇચ્છે છે.