ભાવનગરઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ભાવનગરમાં કેટલાક બનાવો બનતા નજરે પડી રહ્યા છે. ચોરી લૂંટ અપહરણ અને હત્યા જેવી ગંભીર ઘટનાઓ સર્જાઇ રહી છે. શહેરમાં સુરક્ષાને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે. શહેરના તખતેશ્વર વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે.
તખતેશ્વર વિસ્તારમાં માલિકના જ ઘરે ચોકીદારની હત્યા કરવામાં આવી છે. કેટલાક શખ્સો દ્વારા લૂંટ ચલાવી ચોકીદાર વિનોદ પરમારની હત્યા કરવામાં આવી છે. દાદરે બાંધી ગળેફાંસો આપી દઇને ચોકીદારની હત્યા કરવામાં આવી છે. ડોક્ટર માલતીબેનના ઘરમાં વિનોદભાઇ ચોકીદારી કરતા હતાં. ઘરમાં માલિક બહારગામ ગયા એ સમયે હત્યા કરવામાં આવી છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે.
થોડા સમય અગાઉ કેટલાક રાહદારીઓના અપહરણ અને લૂંટની ઘટના સામે આવી હતી. શું શહેરમાં કાયદાનો ડર નથી રહ્યો? ચોર-લૂંટારૂઓ બેફિકર બની ગયા? પોલીસ નિંદ્રામાં છે?