રાજ્યભરમાં સરકાર દ્વારા ગુણોત્સવ 8નો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુણોત્સવનો પ્રારંભ કર્યો છે. પંચમહાલની ગોવિંદા ગામની પ્રાથમિક શાળામાં વિજય રૂપાણીએ કાર્યક્રમની શરૂઆત કરાવી છે. હવે રાજ્યની 34 251 શાળાઓમાં 2 દિવસ માટે ગુણોત્સવના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.આ વચ્ચે ભાવનગરમાં કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગરના પડવાના ગ્રામવાસીઓએ ગુણોત્સવનો બહિષ્કાર કર્યો છે. ગ્રામવાસીઓએ પોતાના બાળકોને શાળાએ ના મોકલીને કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે.
મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી પડવા ગામના લોકો જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે જેના કારણે હવે વાલીઓએ બાળકોને શાળાએ ના મોકલીને આ માટેનો બહિષ્કાર કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યુ કે સરકાર આ માટે શું પગલા ભરે છે.