જ્યારે ભાવનગરના રેલવે સ્ટેશનની આ તસ્વીર એ વાતનો પુરાવો છે કે કુદરતના કહેરની ઝલક માત્ર, કેટલી ભયંકર હતી. વાયુ વાવોઝોડાને લઈને રેલવે સ્ટેશન પર મુકેલા બાકડો ઉડી ગયો. જો કે સારી વાત એ છે કે આ ત્રણેય ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ પડ્યો હતો તો વળી કેટલાક સ્થળે ભંયકર પવન પણ ફુંકાયો હતો ત્યારે આ પવનને કારણે ભાવગનર રેલેવ સ્ટેશનમાં રહેલ બાંકડો ઉડવાની ઘટના બનતા હાજર તમામ લોકોએ આ નજરાને કેમરામાં કેદ કર્યો હતો.
મહુવામાં ભારે પવન સાથે વરસાદ
ભાવનગર પંથકમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. મહુવામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. તો કપતર ગામે પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભાવનગર પંથકમાં ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
અલંગ શીપયાર્ડ કરાયું બંધ
ભાવનગરના અલંગ શીપયાર્ડમાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. વાવાઝોડાની અસરને લઈને બે દિવસ સુધી કામકાજ બંધ રાખવાના રાજ્ય સરાકારે આદેશ આપ્યા છે. અલંગના તમામા પ્લોટમાં કામકાજ બંધ કરાયું છે. મજૂરોને પણ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. અલંગ શીપબ્રેકિંગ યાર્ડમાં પણ દરિયાના પાણી ઘૂસી ગયા હતાં.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 13, 2019
વાવાઝોડાનું સંકટ આખરે ગુજરાત પરથી ટળ્યું
વાયુ વાવાઝોડાનું સંકટ આખરે ગુજરાત પરથી ટળ્યું છે. વાયુ વાવાઝોડાએ પોરબંદરથી 250 કિમી દૂર સમુદ્રમાં ટર્ન લીધો છે. અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાએ એડનના અખાત બાજુ ટર્ન લીધો છે અને શનિવાર સુધી વાયુ વાવાઝોડું સમુદ્રમાં જ રહેશે.અને શનિવારે સાંજે તે સમુદ્રમાં જ વિખેરાઈ જશે.
જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સુધી વાવાઝોડાની અસર રહેશે. તો ગીર-સોમનાથ, પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં 40થી 70 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. જ્યારે ગીર, પોરબંદર અને દ્વારકામાં હળવાથી ભારે વરસાદની પણ સંભાવના છે. જ્યારે બે દિવસ સુધી ભારે પવન સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની પણ શક્યતા છે.