ભાવનગરઃ ગારિયાધારમાં એક પિતા-પુત્રનું જીવલેણ હુમલામાં મોત થયું છે. પિતા પુત્ર પર અંગત અદાવતને લઇને હુમલો કરાયો હતો. મળતી વિગતો મુજબ હુમલો કરનાર મૃતક યુવક બિપિનનો મિત્ર જ હતો.
બિપિને 7 મહિના અગાઉ આસિફની પત્ની સાથે પ્રેમ થતાં ભગાડીને લગ્ન કર્યા હતાં. આ જ બાબતની અદાવત રાખીને આસિફ અને તેનાં મિત્રોએ બિપિન અને તેનાં પિતાનું અપહરણ કર્યુ હતું અને પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ હુમલામાં ઇજાગ્રસ્ત બિપિન અને તેનાં પિતા ગોરધનભાઇનું સારવાર દરમિયાન મોત થયું હતું. બિપિન મૂળ અમરેલીનો રહેવાસી છે જ્યારે પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર ગામે પિતા અને પુત્ર ઉપર જીવલેણ હુમલાનો બનાવ બન્યો છે જેમાં પુત્રનું મોત થયું છે. જ્યારે પિતા ભાવનગરની સિવિલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. બિપિન પ્રજાપતિ નામનાં શખ્સે તેમનાં મિત્ર આસિફની પત્નીને ભગાડી જઇને લગ્ન કરી લેતાં આસિફે રવિવારે રાત્રીનાં બિપિનને છરીનાં ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટતાં ભારે ચકચાર મચી ગઇ છે.
જ્યારે બિપિનનાં પિતા ઉપર પણ છરી વડે હુમલો કરાતાં તેઓની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. મૂળ અમરેલીનાં ટાવર ચોકમાં રહેતો બિપિન ગોરધનભાઇ પ્રજાપતિ નામનો યુવક તેનાં મિત્ર આસિફની પત્નીને ભગાડી જઇ તેની સાથે 7 માસ પહેલાં લગ્ન કરી લીધા હતાં ને બાદમાં બિપિન સુરત રહેવા ચાલ્યો ગયો હતો.
આસિફને આ ઘટના થઈ હતી તે લાગી આવ્યું હતું અને જેથી બિપિનનું તે ગઈ કાલે સુરતથી અપહરણ કરીને ગારીયાધાર લાવ્યો હતો અને સાથે તેનાં પિતા પણ હતાં. આસિફ અને તેનાં મિત્રોએ બિપિનનું છરીનાં ઘા ઝીંકી મોત નિપજ્યું છે જ્યારે પિતા ગોરધન ભાઈની તબિયત હાલમાં નાજુક છે. આ બનાવની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પિતા-પુત્રને ભાવનગર સિવિલમાં ખસેડ્યાં હતાં કે જ્યાં પુત્રનું મોત થયું છે.