ભાવનગર યુનિવર્સિટીનું ફાયનાન્સ અને એકાઉન્ટનું પેપર લીક થયાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે
ભાવનગર યુનિવર્સિટીનું પેપર લીક થયાનો દાવો
ફાઈનાન્સ અને એકાઉન્ટનું પેપર લીક થયાનો દાવો
યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક થયું હોવાનો કર્યો દાવો
ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આ દાવો કર્યો છે યુવરાજસિંહ જાડેજાએ. ભાવનગર યુનિવર્સિટીનું ફાયનાન્સ અને એકાઉન્ટનું પેપર લીક થયાનો તેમને દાવો કર્યો છે. અને સોશિયલ મીડિયામાં પેપરના ફોટા પણ જાહેર કર્યા છે. યુવરાજસિંહે કહ્યું કે, આ પેપર પરીક્ષા અગાઉ વિવિધ વોટ્સ એપ નંબરો ઉપર વાઇરલ હતું.
#MKBU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.) ની પરીક્ષા હતી જેમાં FINANCE & ACCOUNTS-XII(MANEGEMENT ACCOUNTING-||) નું પેપર હતું.
સમય -૩:૩૦ થી ૬:૦૦
જાગૃત વિદ્યાર્થી દ્વારા મળતી માહિતી પ્રમાણે પેપર શરૂ થયા #અગાઉ પેપર વિવિધ વોટ્સ એપ નંબરો ઉપર વાઇરલ હતું.
પેપર વાયરલ થવા અંગે તથ્ય શુ?
તમને જણાવી દઈએ કે આ પરીક્ષા 1 એપ્રિલે યોજાઈ હતી. જોકે હવે ભાવનગર યુનિવર્સિટી પરીક્ષા નિયામક ઉમેશ રાવલે કહ્યું કે, પેપર વાયરલ થવા અંગે કોઈ તથ્ય હશે તો તપાસ કરવામાં આવશે. સાથે એવો દાવો કરીને બચાવ પણ કર્યો કે પેપર લેવાઈ ગયા બાદ વાયરલ થયું હોઈ શકે.
યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું?
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ પેપર ફોડવામાં વહીવટી તંત્રનો હાથ છે, વહીવટી તંત્રના હાથ સિવાય શક્ય જ નથી. તેમણે કહ્યું કે, વ્હાલા-દવલાની રીતે પેપર મોકલવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.
પરીક્ષા નિયામકે શું કહ્યું?
પરીક્ષા નિયામક ઉમેશ રાવલે જણાવ્યું કે, પેપરલીકની વાત જે સોશિયલ મીડિયમાં આવી છે તે ફાયનાન્સ અને એકાઉન્ટનું પેપર હતું તેમણે કહ્યું જે અનુસંધાને ટ્વીટ કરવામાં આવી છે એ મુજબ આ પેપર 3 વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ વાયરલ ટાઈમ 3.12 બતાવવામાં આવ્યો છે, તેમણે કહ્યું કે, એક શક્યતા એવી પણ છે કે, ત્યારે ફોટો પાડ્યો હોય અને પછી વાયરલ કરવામાં આવ્યો પરંતુ જે હશે તે બાબત જાણી અને કાર્યવાહી કરવામાં આવશે