કોરોનાકાળમાં આજથી ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષાઓની શરુઆત થઇ છે. યુનિવર્સિટીમાં UG અને PGના છેલ્લા સેમિસ્ટરની પરીક્ષાઓ ચાલે છે. ત્યારે આવતીકાલના ભારત બંધ પર વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી નહીં પડે તેમ ઉપકુલપતિએ જણાવ્યું છે.
ભાવનગર યુનિવર્સિટીમાં આજથી પરીક્ષાઓની શરૂઆત
UG અને PGની અંતિમ સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ
કાલે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી નહીં પડે: ઉપકુલપતિ
ગુજરાતમાં હાલ કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાકાળ દરમિયાન હાલ ભાવનગર યુનિવર્સિટીમાં આજથી પરીક્ષાઓની શરૂઆત થઇ છે. કોવિડના નિયમોના પાલન સાથે પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.
ભાવનગર યુનિવર્સિટીમાં આજથી UG અને PGની અંતિમ સેમેસ્ટરની પરીક્ષાની શરુઆત થઇ છે. જો કે કૃષિ બિલના વિરોધને લઇને ખેડૂતો દ્વારા આવતી કાલે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.
જો કે ભાવનગર યુનિવર્સિટીના ઉપકુલપતિ દ્વારા આવતી કાલના ભારત બંધના એલાનને લઇને જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલીન નહીં પડે.