ભાવનગરના તળાજામાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. મથાવડા ગામની પ્રાથમિક શાળાના 2 શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક શાળાના શિક્ષકે જ સાથી શિક્ષકની મદદથી દુષ્કર્મ આચર્યુ હતું. શિક્ષક ગિરીશ રાવલ અને નરેશ પાલીવલ સામે ફરિયાદ નોંધાઇ છે. વિદ્યાર્થીનીને ફરવા લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ધોરણ-8ની વિદ્યાર્થીનીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. તળાજા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી વિગત અનુસાર ભાવનગરના તળાજાના મથાવડા ગામની શાળામાં ભણતી સગીરાને તા.10 મેના રોજ લલચાવી-ફોસલાવી 2 શિક્ષકો પોતાના સ્કૂટર પર બેસાડી તળાજા લાવ્યા હતા બાદ બપોરે 1 થી સાંજના 5 દરમિયાન તેણીને તળાજા ગર્લ્સ સ્કુલની સામે આવેલ એક ખાનગી ટ્યૂશન કલાસમાં લાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની જાણ સગીરાના વાલીને થતા તેમણે બંન્ને શિક્ષક સામે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બાળકીઓ સાથે બળાત્કાર ગુજારવામાં આવતા હોવાની ઘટનાએ માજા મુકી છે થોડા સમય પહેલા જ પોકિસ્તાનમાં પણ એક નાની બાળા પર બળાત્કાર ગુજારી તેને ફેંકી દેવામાં આવી હતી ત્યારબાદ ગુજરાતના કેટલાક સ્થળો પર સગીરા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરાયાની ઘટનાઓ બની હતી ત્યારે ગોહિલવાડમાં તાજેતરમાં એક સરકારી શાળાની છાત્રા પર બળાત્કારની ઘટના બનતા ચકરાર મચી જવા પામી હતી અને આ લંપટ શિક્ષકો પર સૌએ ફિટકાર વરસાવી હતી.