ભાવનગરના તળાજામાં કપાસની ખરીદીનું કૌભાંડ સામે આવ્યુ છે. 700 ખેડૂતોનો કપાસ ન વેચાતા તેઓને 15 કરોડ નું નુકસાન થયું છે.
તળાજા માર્કેટ યાર્ડમાં કપાસની ખરીદીમાં કોંભાડ
ખેડૂતોના કપાસને બદલે યાર્ડે વેપારીનો કપાસ ખરીદ્યો
2271 ખડૂત રજીસ્ટ્રેશનમાંથી 1655 ખેડૂતોનો જ કપાસ ખરીદ્યો
ભાવનગર ના તળાજામાં કપાસ ની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ એક જાગૃત ખેડૂત એ કરતા આ મામલે ખુદ તળાજા ના પ્રાંત અધિકારી એ તળાજા યાર્ડ માંથી વિગતો મંગાવીને પણ ગેરરીરતી થઈ હોવાનું સ્વીકાર્યું છે.
આ મામલે ભાવનગર ના અધિક કલેકટર એ ભાવનગર ના ખેતીવાડી અધિકારીને જવાબદાર સામે કાર્યવાહી કરવા પત્ર પાઠવ્યો છે પરંતુ હવે આ મામલે ખેતીવાડી અધિકારીએ મૌન સેવ્યું છે અને કૅમૅરા સામે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે. જો કે ખેતીવાડી અધિકારી ઓફ ધ રેકર્ડમાં જણાવ્યું હતું કે આ મામલે સીસીઆઇ ની વિજિલન્સ ટિમ ને તપાસ સોંપવામાં આવી છે
કેવી રીતે આચરવામાં આવ્યું કૌભાંડ
ભાવનગર ના તળાજામાં સીસીઆઇ દ્વારા કપ્સ ની ખરીદી કરવામાં આવી હતી
તળાજાના બોકડી ગામના ખેડૂત ગીગાભાઇ કાદુભાઈએ તેમના પરિવારના 9 લોકો ના નામે ટેકાના ભાવે કપાસ વહેંચવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
ગીગભાઇ નો આક્ષેપ છે કે તેમના પાસે થી માલ ખરીદવામાં આવ્યો નથી અને તેના બદલે યાર્ડના સત્તાધીશોના સબન્ધીઓ ના અને જિનિંગ મિલ ના લોકો નો માંલ ખરીદી લેવામાં આવ્યો છે
ગીગાભાએ એ તળાજા યાર્ડના સત્તાધીશોને રજુઆત કરવા છતાં સફળતા ના મળી
ગીગાભાઇ એ તળાજા પ્રાંત અધિકારી ને લેખિત ફ્રિયાયાદ કરી તપાસ ના અંતે બહાર આવ્યું કે કપાસ ની ખરીદીમાં ગેરરીતિ થઈ છે આ મામલે ભવનગર જિલ્લા અધિક કલેકટર ને જાણ કરાઈ અને અધિક કલકટર એ ખેતીવાડી અધિકારી ને આમ દોષિતો સામે કાર્યવાહી કરવા કહ્યું
જો કે ખેતીવાડી એ તાપસ કરવાના બદલે સીસીઆઇ સ્વાયત સન્સ્થા હોઈ આમાં તેની વિજિલન્સ ટિમ તપાસ કરશે તેમ જણાવી વાત પુરી કરી દીધી
ખેડૂત નો આક્ષેપ છે કે 2371 ખેડૂતો ના ઓન લાઈન રજિસ્ટ્રેશન થયા હતા તેમથી
716 ખેડૂતોના માલ ખરીદયો નથી જો કે આ બાબત તળાજા ના પ્રાંત અધિકરીના ચેકીંગ માં પણ સાબિત થઈ ચુકી છે
700 ખેડૂતો નો કપાસ ના વ્હેંચાતા તેઓ ને 15 કરોડ નું નુક્શન થયું છે
આ અંગે અધિક કલેકટર એ પણ આ કપાસ ની ખરીદીમાં ગેરીરીતી થઈ છે તેવાત ને સમર્થન આપી ને ખેતીવાડી કહતના અધિકારી ને તપાસ કાતરવા જણાવ્યું છે