ભાવનગરના ઘોઘારોડ પર આવેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતા અને શહેરમાં પુઠાના બોક્સ બનાવવાની દુકાન ધરાવતા દિલીપભાઇ પટેલ આજ રોડ કોઇ અગમ્ય કારણોસર તેની દુકાનમાં ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં નજીકની સર ટી.હોસ્પીટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતુ. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મૃતક ભાવનગરના ટ્રાફિકથી સતત ભરચક રહેતા ઘોઘારોડ પર આવેલ કોન્વેન્ટ સ્કુલથી સામે આવેલા કોમ્પ્લેક્ષમાં પુઠાની દુકાન ધરાવે છે અને દિલીપભાઇનો પુત્ર અને પુત્રવધુ અમદાવાદ રહે છે. તથા તેઓ પોતાના પૌત્ર અને પત્ની સાથે રહે.આજ રોજ તેઓ દુકાને ગયા બાદ અચાનક ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.આ ઘટનાની તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.