ભાવનગર: ઘોઘા-દહેજ રો-રો ફેરીમાં ખામી સર્જાતા ફેરીને થોડો સમય બંધ રાખવામાં આવી હતી. જોકે હવે એન્જિનનું કામ પૂર્ણ થતાં રો-રો ફેરીને ફરી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ જહાજના એન્જીનમાં કુલિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જે બાદ તેને બંધ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રો-રો ફેરી સર્વીસ શરૂ થઇ ત્યારથી વિવિધ તબક્કાઓમાં મુશ્કેલી થઇ રહી છે. અત્યારે રો-રો ફેરી સર્વીસનું ઉદ્ધાટન થયા બાદ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભાવનગરના સમુદ્રમાં રો-રો ફેરીના જહાજનું એન્જિન અચાનક બંધ થઇ ગયુ હતું.
આપને જણાવી દઇએ કે જહાજનું એન્જિન બંધ થતાં મુસાફરોમાં ચિંતામાં મુકાયા હતાં. જહાજ ભાવનગર- દહેજ થઈ ઘોઘા આવી રહ્યું હતું . ટગ સાથે બાંધી જહાજને સમુદ્ર કિનારે લાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
જો કે થોડા સમયગાળા બાદ અન્જિન ફરીવાર શરૂ કરવામાં આવતા આજથી રો-રો ફેરીને ફરીવાર વિધિવતરીત શરૂ કરવામાં આવી છે.