ઘોઘા દહેજ ફેરી ઓપરેટરે ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) ઉપર કરોડોના નુકસાનનો દાવો કર્યો છે. તંત્રની બેદરકારીને કારણે કોરોડની નુકસાનીનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ભાવનગર ઘોઘા દહેજ ફેરીનો મામલો
ફેરી બંધ રહેતા નુકસાન
ઓપરેટરે કર્યો 200 કરોડનો દાવો
ભાવનગરના ઘોઘા દહેજ ફેરી કોરોના અને ડ્રેનેજની સમસ્યાના કારણે બંધ રહેતા કરોડોના નુકસાનનો દાવો ફેરી ઓપરેટરે કર્યો છે. ઘોઘા દહેજ ફેરી ઓપરેટરે ગુજરાત મેરિટાઇમ બોર્ડ સામે 200 કરોડના નુકસાનનો દાવો કર્યો છે.
તંત્રની બેદરકારીના કારણે કરોડોનું નુકસાન થયું હોવાની રજૂઆત કરાઇ છે. હાલ ડ્રેનેજની સમસ્યાના કારણે હાલ પણ જહાજ ચાલી નથી રહ્યું જેના કારણે કરોડોનું નુકસાન થઇ રહ્યું છે.
શું છે મામલો?
ભાવનગરના ઘોઘા દહેજ ફેરીના ઓપરેટરે દાખલ કર્યો 200 કરોડનો દાવો
GMB સામે દાખલ કર્યો 200 કરોડનો દાવો
તંત્રની બેદરકારીના કારણે કરોડોનુ નુકશાન થયું હોવાનો દાવો
ગત સપ્ટેમ્બર માસથી ફેંબ્રુઆરી સુધી ફેરી ડ્રેજિંગના કારણે બંધ કરાઇ