ભાવનગરમાં રથયાત્રા પર્વનો એક અનેરૂ મહત્વ છે. જો કે અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાદી છે ત્યારે ભાવનગર જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભગવાનના વસ્ત્રો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દુનિયાનું સર્જન કરનારા ભગવાન જગન્નાથજીના વસ્ત્રોમાં પણ કોઈ કચાશ થોડી ચાલે અને તેવા ભાવથી રાથયાત્રાને લઇને વસ્ત્રો બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
ભાવનગરમાં ભગવાનના વસ્ત્રો બનાવવાનું કામ હરજીવનભાઈ દાણીધારીયાનો સાધુ પરિવાર કરે છે. આ પરિવાર 25 વર્ષથી ભગવાનના વસ્ત્રો બનાવે છે દર વર્ષે ભગવાનના કંઈક નવા વસ્ત્રો બનાવા માટે તેઓ આતુર હોય છે.
ભાવનગરમાં 1986થી આમતો ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની 34મી રથયાત્રા નીકળશે, જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ભાવનગરમાં ભગવાનના વસ્ત્રો બનાવવાનું કામ હરજીવનભાઈ દાણીધારીયાનો સાધુ પરિવાર કરે છે. આ પરિવાર 25 વર્ષથી ભગવાનના વસ્ત્રો બનાવે છે દર વર્ષે કંઈક નવા વસ્ત્રો બનાવવું માટે તેઓ આતુર હોઈ છે.
સામાન્ય રીતે ભગવાનના વસ્ત્રો સાર્ટીન કાપડમાંથી બનાવવામાં આવે છે અને તેના ઉપર વધારાનું ડેકોરેશન કરીને આ વસ્ત્ર ચમકવાળા અને લોકોની આંખોને ધ્યાન ખેંચનારા બને છે ભગવાન જગન્નનાથ અને બલરામ તથા સુભદ્રાજીના વસ્ત્રો બનવવાનું કામ આ પરિવાર ભીમ અગિયારસથી કરે છે. આ પરિવાર સેવાની ભાવનાથી કામ કરે છે અને તેના કારણે તેઓ ભક્તિમય પણ બન્યા છે. ભાવનગરના રાજમાર્ગો ઉપર આગામી 4 જુલાઇના રોજ રથયાત્રા નીકળશે અને આ સમયે ભગવાનના વસ્ત્રો પણ લોકોને નયન રમ્ય લાગશે અને મનમોહી લે તેવા આ વસ્ત્રો હશે તે વાત નક્કી છે.