ભાવનગરમાં બાવલિયારી નજીક ટ્રક પલટી જતાં 19 લોકોના મોત નિપજ્યા છે અને છ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ભાવનગર-અમદાવાદ હાઈવે પર ઘટી છે.
સમગ્ર ઘટના વિશે જણાવીએ તો ભાવનગર-અમદાવાદ હાઈવે પર જતી એક સિમેન્ટ ભરેલી ટ્રક પર 25 લોકો સવાર હતા. બાવલિયારી નજીક આવતા અચાનક ટ્રક પલટી જતાં સિમેન્ટની થેલીઓ નીચે દટાઈ જતાં 19 લોકોના મોતઘટના સ્થળે નિપજ્યા છે.
આ હાનિમાં મોતને ભેટેલા તમામ મૃતકો તળાજાના સરતાનપર અને તેની આસપાસના રહેવાસી છે. આ હાનિમાં મૃત્યુ પામેલ મૃતકોમાં 12 મહિલા ચાર પુરુષ અને ત્રણ બાળકનો સમાવેશ થાય છે.
આ કારમી ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.