ભાવનગર: પંજાબના અમૃતસરમાં થયેલી રેલ દુર્ઘટના મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ દુ:ખ વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
આ સાથે જ તેમણે લોકોને સજાગ કરતા કહ્યું હતું કે આવા ધાર્મિક કાર્યોમાં નાગરીકોએ પણ સતર્કતા રાખવી ખુબ જરૂરી છે. મહત્વનું છે કે રેલ અકસ્માતમાં મૃત્યુઆંક 60 તો ઘાયલોની સંખ્યા 50ને પાર થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગતરોજ દેશભરમાં દશેરાની રંગે-ચંગે ઉજવણી કરવામાં આવી રહી હતી. ઠેર-ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે પંજાબના અમૃતસર શહેર ખાતે પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દરમિયાન એક ટ્રેન દુર્ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકોના મોત થયાં હતા તો અનેક લોકો ઘાયલ પણ થયા હતા.
આ ઘટનાને પગલે પંજાબમાં જશ્નનો માહોલ માતમમાં છવાયો હતો. ત્યારે ભાવનગર આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ આ ઘટનાને લઇને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યકમોમાં સાવચેતી રાખવી પણ જરૂરી છે.
આપને જણાવી દઇએ કે અમૃતસરમાં બનેલી દુર્ઘટનાને પગલે 60 લોકોના મોત થયાં છે. તો મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયાં છે. ત્યારે આજે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ તથા દેશના રેલમંત્રી પણ આજે અમૃતસરની મુલાકાત લેવાના છે.