લોકડાઉનને પગલે વ્યસનીઓ એવો તો ઘાંઘા થાય છે કે, પાન-મસાલા વેચતી દુકાનો અને જગ્યાઓ ઉપર પોલીસ બંદોબસ્ત સાથે બાઉન્સરો પણ રાખવા પડે છે. ભાવનગરમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ કોરોનાના આંકડા બેફામ વધી રહ્યા છે બીજી તરફ વ્યસનીઓને કોરોનાનો કોઈ ભય નથી.
ભાવનગરમાં પાન મસાલાના ગલ્લા પર લાગી લાઇન
છૂટછાટ બાદ લોકો પાન-મસાલા લેવા બન્યા અધૂરા
કાઝીવાડ વિસ્તારમાં હોલસેલ વેપારીને ત્યાં લોકની ભીડ
કોરનાના પગલે આપેલા લોકડાઉન દરમિયાન દુકાનો બંધ હોવાથી ખાસ કરીને પાન મસાલાના વ્યસનીઓ વધુ અકળાયા હતા. લોકડાઉન -4માં થોડી છૂટછાટ મળતાં હાલ પાન મસાલાની દુકાન પર વધુ ભીડ જોવા મળી રહી છે. ભાવનગરમાં પણ આવું જ દશ્ય જોવા મળ્યું. ભાવનગરમાં ભાવનગરમાં કાઝીવાડ વિસ્તારમાં પાન મસાલાની દુકાન પર લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. પાન મસાલા માટે અધિરા બનેલા લોકો લૂંટફાટ ન કરે માટે અહીં બાઉન્સર્સ પણ ગોઠવવામાં આવ્યાં છે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાના કેસની સંખ્યા વધીને 15,572 થઇ ગઈ છે. સારવાર બાદ 8003 લોકો સાજા થયા છે. રાજ્યમાં 6599 એક્ટિવ કેસ છે. કોરોનાથી રાજ્યમાં કુલ 960 લોકોના મૃત્યુ થયા છે.